રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ભારતીયો માટે નેપાળના વિઝા - ઓવરવ્યૂ

Nepal Visa For Indians

ટ્રાવેલ ઇન્શ્યોરન્સના ક્વોટની વિગતો શેર કરો

કૃપા કરીને નામ દાખલ કરો
કૃપા કરીને મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય ઇમેઇલ આઇડી દાખલ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

શૂન્ય કપાતપાત્ર

24/7 મિસ્ડ કૉલ
સુવિધા

98% ક્લેઇમ સેટલમેન્ટ
રેશિયો

નેપાળ ભારતના સૌથી મૈત્રીપૂર્ણ પાડોશી દેશોમાંથી એક છે. નેપાળની મુલાકાત લેવાનું પસંદ કરતા કેટલાક ભારતીયોએ વેકેશનની યોજના બનાવતા પહેલાં સંબંધિત વિઝાની જરૂરિયાતોને યોગ્ય રીતે ધ્યાનમાં લેવી જોઈએ. આ ઉપરાંત, તે અન્ય દેશોથી અલગ છે તે જોતાં, ભારત માટે નેપાળના ઇમિગ્રેશન કાયદાઓની મૂળભૂત સમજ હોવી મહત્વપૂર્ણ છે.

મોટેભાગે, નેપાળની મુસાફરીની યોજના માટેના પ્રથમ પગલાંમાં દેશમાં પ્રવેશવાની પાત્રતા નક્કી કરવાનો સમાવેશ થવો જોઈએ.

શું ભારતીયોને નેપાળના વિઝાની જરૂર છે?

દર વર્ષે, ઘણા ભારતીયો આધ્યાત્મિક જાગૃતિ, પ્રસિદ્ધ નેપાળી આતિથ્ય સત્કાર અને/અથવા હિમાલયના આરોહણના રોમાંચ માટે નેપાળની મુલાકાત લે છે. જ્યારે નેપાળમાં પ્રવેશવા માટે અન્ય તમામ દેશના નાગરિકો પાસે પ્રવાસી વિઝા હોવા આવશ્યક છે, ત્યારે ભારતીયોને આ જરૂરિયાતમાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યાં સુધી ભારતીયો ભારતીય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ઓળખપત્રો ધરાવે છે, ત્યાં સુધી તેઓ વિઝા વગર નેપાળમાં પ્રવેશ કરી શકે છે. ભારતીયોએ નેપાળની મુસાફરી માટે વિઝા માટે અપ્લાઇ કરવાની ચિંતા કરવાની જરૂર નથી.

બંને દેશો વચ્ચે લોકો અને પ્રૉડક્ટની અપ્રતિબંધિત અવરજવર 1950 માં ભારત-નેપાળ શાંતિ અને મિત્રતા સંધિ પર હસ્તાક્ષર બાદ શક્ય બની હતી. જો કે, નોંધ કરો કે પર્વતોના દેશમાં મુસાફરી માટે તમારે જરૂરી તમામ કાગળો અને ડૉક્યૂમેન્ટને ધ્યાનમાં લેવા મહત્વપૂર્ણ છે. સુનિશ્ચિત કરો કે તમારા મુસાફરીના સમગ્ર સમયગાળા દરમિયાન તમારો પાસપોર્ટ માન્ય હોય. બીજું, ભારતીયો માટે નેપાળના વિઝા માટેની કોઈપણ નવી અપડેટ વિશે ઝડપથી શોધો. છેલ્લે, સુનિશ્ચિત કરો કે તમે નેપાળ પ્રવાસ માટે અનુરૂપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી છે.

શું નેપાળમાં ભારતીયો માટે વિઝા ઓન અરાઇવલ/ઇ-વિઝા ઉપલબ્ધ છે?



ના, ભારતીય નાગરિકોને નેપાળમાં પ્રવેશવા માટે ઓન અરાઇવલ વિઝા અથવા ઇલેક્ટ્રોનિક વિઝાની જરૂર નથી કારણ કે ભારતીય નાગરિકોને નેપાળમાં પ્રવેશવા માટે કોઈ વિઝા જરૂરી નથી.

ભારતીય નાગરિકો તેમના પાસપોર્ટ અથવા અન્ય સ્વીકાર્ય ડૉક્યૂમેન્ટ બતાવીને, કાઠમાંડુ એરપોર્ટ સહિતના કોઈપણ ઇમિગ્રેશન સેન્ટર પરથી નેપાળમાં પ્રવેશ કરી શકે છે.

 

નેપાળના વિઝા માટે પાત્રતાના માપદંડ શું છે?

 

નેપાળમાં મુસાફરી કરનાર ભારતીયો માટે તેમના માન્ય પાસપોર્ટ સાથે રાખવા મહત્વપૂર્ણ છે. જો કે, નેપાળ જતા ભારતીય પ્રવાસીઓ પાસે તેમનો પાસપોર્ટ ના હોય, તો તેઓ દેશમાં પ્રવેશ કરવા માટે કેટલાક અન્ય ડૉક્યૂમેન્ટ રજૂ કરી શકે છે.

 

નેપાળમાં પ્રવેશ કરવા માટે ભારતીય નાગરિકો માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

 

ભારતીય નાગરિકોને નેપાળમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર નથી. જો કે, તેમને આ માટે નીચેના ડૉક્યૂમેન્ટ સાથે લાવવાના રહેશે.

  • કેન્દ્ર, રાજ્ય અથવા સ્થાનિક સરકાર દ્વારા જારી કરાયેલ કોઈપણ ફોટો આઇડી ડૉક્યૂમેન્ટ
  • ભારતના ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલ ચૂંટણી કાર્ડ
  • કાઠમાંડુમાં ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલ ઇમરજન્સી સર્ટિફિકેટ

 

ભારતના નાગરિકોએ નેપાળમાં પ્રવેશવા માટે નીચેના માપદંડની નોંધ લેવી મહત્વપૂર્ણ છે.

  • 65 વર્ષથી વધુ ઉંમરના અથવા 15 વર્ષથી ઓછી ઉંમરના ભારતીય નાગરિકો પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રાશન કાર્ડ વગેરે જેવા ફોટો આઇડી કાર્ડ રજૂ કરીને નેપાળમાં પ્રવેશ કરી શકે છે.
  • 15 અને 18 વર્ષની વચ્ચેના ભારતીય નાગરિકો તેમની શૈક્ષણિક સંસ્થાના આચાર્ય દ્વારા જારી કરાયેલ ઓળખ સર્ટિફિકેટ દાખવીને નેપાળમાં પ્રવેશ કરી શકે છે.

જો તમે નેપાળમાં સડક માર્ગે પ્રવેશ કરતા હોવ, તો કયા ડૉક્યૂમેન્ટની જરૂર પડશે?



પોતાના વાહનમાં સડક માર્ગે નેપાળ જતા ભારતીય નાગરિકોએ, પોતાના નાગરિકતાના પુરાવાની સાથે નેપાળની સરહદ પર નીચેના ડૉક્યૂમેન્ટ રજૂ કરવાના રહેશે:

  • વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
  • ડ્રાઇવિંગ પરમિટ
  • કસ્ટમ અથવા ભંસાર પરમિટ
  • વાહનની પરમિટ અથવા યાતાયાત અનુમતિ

 

શું નેપાળ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે?

 

નેપાળના ઇમિગ્રેશન નિયમો અનુસાર ભારતીય નાગરિકોને નેપાળમાં પ્રવેશવા માટે માન્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ લેવાની જરૂર નથી. જો કે, દેશમાં હાઇકિંગ કરનાર કોઈપણ વ્યક્તિ પાસે નેપાળનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવો આવશ્યક છે.

 

એક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી નેપાળમાં મુસાફરી કરતી વખતે ઉદ્ભવતી ઇમરજન્સી અને અણધાર્યા ખર્ચના નાણાંકીય વ્યવસ્થાપનમાં તરત સહાય કરે છે. મુસાફરી કરતી વખતે ફ્લાઇટમાં વિલંબ અને આવી અન્ય સમસ્યાઓ પણ ઉદ્ભવી શકે છે, પરંતુ તેમને પણ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજની મદદથી વધુ સારી રીતે મેનેજ કરી શકાય છે. મુસાફરો જ્યારે અજાણ્યા દેશમાં મુસાફરી કરતા હોય, ત્યારે, વિવિધ પ્રકારની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ અત્યંત લાભદાયી હોઈ શકે છે.

 

 

 

સડક માર્ગ દ્વારા ભારતથી નેપાળ જતા પહેલાં જાણવા જેવી બાબતો

 

ભારતથી તમે ટૂ-વ્હીલર અથવા ફોર-વ્હીલર દ્વારા નેપાળમાં જઈ શકો છો. માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ, તમારા વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને જરૂરી પરવાનગીઓ આ બધા ડૉક્યૂમેન્ટ જરૂરી છે. તમારે નેપાળમાં રજિસ્ટર્ડ વાહનોના પ્રવેશ સંબંધિત નીચેની બાબતોથી વાકેફ રહેવું જોઈએ: 

  • ભારતીય રજિસ્ટ્રેશન ધરાવતી કારોને દર વર્ષે 30 દિવસ માટે નેપાળમાં રહેવાની પરવાનગી છે
  • જ્યારે તમે નેપાળમાં પ્રવેશ કરો ત્યારે તે દેશમાં તમે જેટલા દિવસો વિતાવવા માંગો છો, તમારે તેટલા દિવસોનો પાસ ખરીદવો આવશ્યક છે
  • વાહનના પ્રકારના આધારે દૈનિક શુલ્ક 100 થી 500 સુધીનું હોઈ શકે છે
  • જો તમારું રોકાણ કોઈપણ અનપેક્ષિત કારણોસર લંબાવવાનું થાય, તો નજીકના નેપાળ કસ્ટમ ઑફિસનો સંપર્ક કરો અને તેને લંબાવવાની વિનંતી કરો
  • સરહદ પર એક દિવસની પરમિટ ખરીદવાથી તમે કસ્ટમ શુલ્ક ચૂકવ્યા વિના એક સંપૂર્ણ દિવસ માટે નેપાળમાં ફરી શકો છો. જો કે, જો તમે એક દિવસનો પાસ પસંદ કરો, તો તમારે તે જ દિવસે ભારત પાછા ફરવું પડશે અને પાસ નેપાળ કસ્ટમ વિભાગને રિટર્ન કરવો પડશે

 

શું તમારે નેપાળ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર છે?

 

ભારતીય નાગરિકોને ઇમિગ્રેશન નિયમો મુજબ નેપાળની મુલાકાત લેવા માટે ટ્રાવેલ અથવા મેડિકલ ઇન્શ્યોરન્સની જરૂર નથી. નેપાળ જતા મોટાભાગના ભારતીય પ્રવાસીઓ પ્રાદેશિક અને સાંસ્કૃતિક વિવિધતા અને સામ્યતા જોઈને આશ્ચર્યચકિત રહી જાય છે. તેથી, કોઈપણ વ્યક્તિ ઘણીવાર તેમના રોકાણને બદલવા અથવા લંબાવવાનું વિચારી શકે છે. આ માટે વધુ પૈસા ખર્ચ કરવા પડી શકે છે. આ પરિસ્થિતિમાં નેપાળ માટેની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ઉપયોગી હોઈ શકે છે.

જ્યારે તમે નેપાળ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો છો, ત્યારે તમને તબીબી અને ફ્લાઇટ કૅન્સલેશન, સામાનમાં વિલંબ અથવા નુકસાન, હોટલ કૅન્સલેશન અને જેવી અન્ય સંભવિત બિન-તબીબી પરિસ્થિતિઓ માટે કવર કરવામાં આવે છે. અસંખ્ય ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ વિદેશી ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ઑફર કરે છે.

 

અમારી આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑફર તમને અને તમારા સાથી મુસાફરોને મેડિકલ અથવા અન્ય સમસ્યાઓના કિસ્સામાં આર્થિક રીતે સુરક્ષિત કરશે.

 

 

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનના કેટલાક ફાયદાઓ નીચે દર્શાવામાં આવ્યા છે:

  • મેડિકલ-ફ્રી ટ્રિપ ઇન્શ્યોરન્સ:

    નેપાળ માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વડે તમને તમારા ડૉક્યૂમેન્ટ (જેમ કે તમારો પાસપોર્ટ) ખોવાઈ જવા, હોટેલ રિઝર્વેશન અથવા ફ્લાઇટનું કૅન્સલેશન વગેરે સહિતની વિવિધ નૉન-મેડિકલ ઇમરજન્સીઓ માટે કવર કરવામાં આવે છે. 

  • મેડિકલ ઇન્શ્યોરન્સ:

    નેપાળની તમારી મુલાકાત દરમિયાન, આ પ્લાન અકસ્માતને કારણે થતી કોઈપણ બીમારી અથવા ઈજા માટે કવરેજ પ્રદાન કરે છે. જો મુસાફરનો મુસાફરી દરમિયાન કોવિડ-19 વાઇરસ માટેનો રિપોર્ટ પૉઝિટિવ આવે, તો તેઓ નાણાંકીય સહાય માટે પણ પાત્ર હોઈ શકે છે.

  • સામાનના વિલંબ/નુકસાન માટે કવરેજ:

    આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં ઘણીવાર સામાન મેળવવામાં વિલંબ અથવા ગુમ થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમારો સામાન ખોવાઈ જાય અથવા પરિવહનમાં વિલંબ થયો હોય, તો નેપાળ માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન અધિકૃત શુલ્કની ચુકવણી કરે છે. 

 

અતિરિક્ત ફાયદાઓ

 

  • વાજબી કિંમતના પ્રીમિયમ સાથે સંપૂર્ણ સુરક્ષા
  • સંપૂર્ણ મેડિકલ પરીક્ષણની જરૂરિયાત વગર સરળ અને સમસ્યા-મુક્ત ખરીદી પ્રક્રિયા
  • પ્રીમિયમ ચુકવણી માટે ભારતીય રૂપિયાનો અને ઇન્શ્યોરન્સ માટે અમેરિકન ડોલરનો ઉપયોગ કરવામાં આવે છે

નેપાળમાં મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે પ્રવેશની માહિતી

જો તમે ભારતથી નેપાળમાં મુસાફરી કરવા માંગો છો, તો નીચેની પ્રવેશની જરૂરિયાતો મહત્વપૂર્ણ છે:

  • એક વર્તમાન ભારતીય પાસપોર્ટ જે છેલ્લાં દસ વર્ષમાં જારી કરવામાં આવ્યો હોય અને નેપાળમાં તમારા આગમનની તારીખ પછી ઓછામાં ઓછા છ મહિના માટે માન્ય હોય

  • નેપાળની મુસાફરી માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલ માન્ય ચૂંટણી કાર્ડ આવશ્યક છે.

 

શું કોવિડ પછી નેપાળ વિઝા માટેના ડૉક્યૂમેન્ટમાં કોઈ ફેરફાર છે?

 

નેપાળમાં મોટાભાગના કોવિડ સંબંધિત પ્રતિબંધોને હળવા કરવામાં આવ્યા છે, છતાં મુલાકાતીઓએ નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ:

  • પુખ્ત વયના લોકો કે જેમણે તમામ જરૂરી રસીકરણ કરાવી લીધું હોય, તેઓ આરટી-પીસીઆર-નેગેટિવ રિપોર્ટ વગર તેમના રોગપ્રતિકારક સર્ટિફિકેટ સાથે નેપાળમાં પ્રવેશ કરી શકે છે.
  • પ્રસ્થાન પહેલાં મુસાફરોએ બૂસ્ટર ડોઝ લીધો હોવો જોઈએ તે જરૂરી નથી.
  • જો મુસાફર કોઈ ડૉક્યૂમેન્ટ પ્રદાન કરી શકતા નથી, તો નેપાળ એરપોર્ટ અધિકારીઓ ક્વિક એન્ટિજન ટેસ્ટ કરવાનો અધિકાર અનામત રાખે છે.
  • કોવિડ-19 માટેનો ટેસ્ટ વૈકલ્પિક છે અને તે કરાવવાનો આધાર વાઇરલ લક્ષણો દર્શાવતી વ્યક્તિ પર છે.
  • નેપાળ ડબ્લ્યુએચઓ પ્રમાણિત તમામ રસીઓને સ્વીકારે છે.
  • જો મુસાફરો રસીકરણનું સર્ટિફિકેટ રજૂ ન કરી શકે, તો દેશમાં આવ્યા પહેલાંના 72 કલાકની અંદર મેળવેલ નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ સબમિટ કરવો આવશ્યક છે.

 

નેપાળમાં પર્યટક આકર્ષણો

 

નેપાળ લગભગ 147,181 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવરે છે અને ત્રણ બાજુએ ભારતથી ઘેરાયેલું છે. આ વૈવિધ્યસભર પ્રદેશ મેદાનો, ઢોળાવ પર જંગલવાળી ટેકરીઓ અને વિશ્વના દસ સૌથી ઊંચા પર્વતોમાંથી માઉન્ટ એવરેસ્ટ સહિતના આઠ પર્વતો ધરાવે છે. નેપાળની મુસાફરી દિલધડક ટ્રેકથી માંડીને આરામદાયક ધ્યાન સુધીના વિવિધ અનુભવો પ્રદાન કરશે.

જો તમે નેપાળમાં મુસાફરી કરો છો, તો નીચેના લોકેશન તમારી બકેટ લિસ્ટમાં હોવા જોઈએ.

 

● કાઠમાંડુ, નેપાળ

દેશના બાકીના ભાગોની મુસાફરી કરતા પહેલાં, દરેક મુસાફર નેપાળની રાજધાની કાઠમાંડુમાં ઉતરે છે. કાઠમાંડુ આધુનિક જીવન અને પ્રાચીન સ્મારકો અને મૂર્તિઓનું અનન્ય મિશ્રણ ધરાવે છે.

 

● સગરમાથા રાષ્ટ્રીય ઉદ્યાન

સગરમાથા રાષ્ટ્રીય ઉદ્યાન એ નેપાળના ટોચના પર્યટન સ્થળોમાંનું એક છે. તે તેની વિશિષ્ટ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને સુરક્ષિત રાખવા માટે પ્રસિદ્ધ છે અને તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. લાલ પાંડા અને સ્નો લેપર્ડ બંને અહીં જોવા મળે છે.

 

● પોખરા

નેપાળનું આ બીજું સૌથી મોટું શહેર અન્નપૂર્ણા-I, ધૌલાગિરી અને મનાસલુ પર્વતમાળાઓથી ઘેરાયેલું છે. તેને અન્નપૂર્ણા સર્કિટના પ્રવેશ તરીકે ઓળખવામાં આવે છે.

GOT A QUESTION? HERE ARE SOME ANSWERS

કોઈ પ્રશ્ન છે? અહીં કેટલાક જવાબો છે

નેપાળના વિઝા માટે કોઈ ભારતીય કેવી રીતે ઑનલાઇન અપ્લાઇ કરી શકે છે?

ભારતીયોને નેપાળના વિઝાની કોઈ જરૂરિયાત નથી. ભારત અને નેપાળ વચ્ચે 1950 માં થયેલી શાંતિ અને મિત્રતા સંધિ બે દેશો વચ્ચે અપ્રતિબંધિત વેપાર અને મુસાફરીની પરવાનગી આપે છે. પરિણામે, તમે વિઝા વગર નેપાળની મુસાફરી કરી શકો છો.

 

સુનિશ્ચિત કરો કે તમારી પાસે હંમેશા ઓળખની સાબિતી રૂપે સરકાર દ્વારા જારી કરાયેલ આઇડી હોય. 

શું નેપાળમાં પ્રવેશ કરવા માટે ભારતીય વિઝાની જરૂર છે?

ના, ભારતીયોને નેપાળમાં પ્રવેશવા માટે નેપાળના વિઝાની જરૂર નથી. દેશમાં પ્રવેશ કરવા માટે, વ્યક્તિઓએ પાસપોર્ટ અથવા વોટર આઇડી કાર્ડ જેવી તેમની રાષ્ટ્રીયતા દર્શાવતી ઓળખ રજૂ કરવી આવશ્યક છે.

નેપાળ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે મારું બજેટ શું હોવું જોઈએ?

વીમાકૃત રકમ અને દેશમાં રહેવાનો સમયગાળો એ બે પાસાંઓ છે, જે નેપાળ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરે છે.

 

પ્રસ્થાન કરતા પહેલાં સુનિશ્ચિત કરો કે તમે યોગ્ય વીમાકૃત રકમ અને વિશેષતાઓ સાથે ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદો, જે તમારા પ્રવાસના શેડ્યૂલને અનુરૂપ હોય.

 

લોકપ્રિય દેશો માટે વિઝા ગાઇડ


લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ: 28th  એપ્રિલ 2023

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો