રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

Travel Insurance For Thailand

ટ્રાવેલ ઇન્શ્યોરન્સના ક્વોટની વિગતો શેર કરો

કૃપા કરીને નામ દાખલ કરો
કૃપા કરીને મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય ઇમેઇલ આઇડી દાખલ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

થાઇલેન્ડની મુલાકાત રોમાંચક હોય છે, પરંતુ તમારી મુસાફરીનું આયોજન ચોક્સાઈપૂર્વક કરવું જરૂરી છે. તમારા શેડ્યૂલ અને વ્યક્તિગત સામાનનું આયોજન કરવાની સાથે, તમારે થાઇલેન્ડ માટે વિઝા અરજી પ્રક્રિયા શરૂ કરવી આવશ્યક છે અને તમામ જરૂરી કાનૂની જરૂરિયાતોને અનુસરવી આવશ્યક છે. વધુમાં, યોગ્ય આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન તમને તમારી સમગ્ર મુસાફરી દરમિયાન યોગ્ય કવરેજ પૂરું પાડે છે.

થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે તમામ ઉપલબ્ધ વિકલ્પોને ધ્યાનમાં લઇને તમે વિવિધ સંભવિત જોખમો સામે પોતાને સુરક્ષિત કરવા માટે સંપૂર્ણપણે પ્લાન કરી શકો છો.

તે સાથે, તમે બજાજ આલિયાન્ઝની ઝડપી અને સરળ થાઇલેન્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાંથી કોઈ ખરીદી શકો છો! 

તમારે ભારતથી થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શા માટે જરૂરી છે?


જોવાલાયક સ્થળો ઘણા છે, પરંતુ નીચે જણાવેલ કેટલાક સ્થાનોની તમારે મુલાકાત લેવી જરૂરી છે. અને તમારી સુરક્ષાની ખાતરી કરવા માટે, તમારે થાઇલેન્ડ માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે.


  • સામાનનું કવર

    અમારા આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનના બેગેજ કવરમાં, જો ટ્રિપ દરમિયાન એરપોર્ટ ચેકપૉઇન્ટ પર તમારો સામાન ખોવાઈ ગયો હોય અથવા વિલંબ થયો હોય, તો ખોવાયેલ સામાનની કિંમત જેટલી રકમ ચુકવવામાં આવશે.

  • મુસાફરીનું કવર

    થાઇલેન્ડ માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનના ભાગ રૂપે, જો તમે તમારો પાસપોર્ટ ખોવાઈ જાય છે, તમારી ફ્લાઇટમાં વિલંબ થાય અથવા કૅન્સલ કરવામાં આવે, અથવા ઇમરજન્સીને કારણે હોટલ રિઝર્વેશન કૅન્સલ કરાવવું પડે, તો પણ તમને કવર કરવામાં આવે છે.

  • મેડિકલ કવર

    જો તમે બીમાર પડો છો અથવા મુસાફરી સમયે ઈજા પહોંચે છે અને હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે, તો થાઇલેન્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા તમને જરૂરી કવરેજ પ્રદાન કરવામાં આવે છે.

થાઇલેન્ડ માટે બજાજ આલિયાન્ઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીના લાભો

તમારી પાસે મજબૂત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હોય તો તમે મુસાફરી દરમિયાન તમામ અનપેક્ષિત પરિસ્થિતિઓનો સામનો કરી શકો છો. થાઇલેન્ડ માટે બજાજ આલિયાન્ઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદીને તમે ચિંતામુક્ત થઈને મુસાફરીનો આનંદ માણી શકો છો. થાઇલેન્ડ માટે બજાજ આલિયાન્ઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીના કેટલાક નોંધપાત્ર લાભો અહીં આપેલ છે:

  • વ્યાપક કવરેજ

    બજાજ આલિયાન્ઝની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં અકસ્માત, બીમારીઓ, ફ્લાઇટ કૅન્સલેશન અથવા વિલંબ, ચોરી, સામાન ખોવાઈ જવો, પાસપોર્ટ ખોવાઈ જવો અને તેવી અન્ય વિવિધ પરિસ્થિતિઓને કવર કરવામાં આવે છે.

  • ત્વરિત સપોર્ટ

    બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ માત્ર એક કૉલ કર્યાથી ત્વરિત સપોર્ટ પ્રદાન કરે છે. ત્વરિત આપવામાં આવતી ગ્રાહક સેવા તમારી મુસાફરીને લગતી તકલીફોને શક્ય તેટલી વહેલી તકે ઉકેલશે. 

  • દરેક પ્રકારના મુસાફર માટે પૉલિસીઓ

    બજાજ આલિયાન્ઝ દરેક પ્રકારના મુસાફર માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન્સ પ્રદાન કરે છે - તમે એકલા મુસાફરી કરી રહ્યાં હોવ, તમારા વૃદ્ધ માતાપિતા અથવા તમારા પરિવાર સાથે મુસાફરી કરી રહ્યાં હોવ, દરેક માટે એક પ્લાન ઉપલબ્ધ છે. 

  • ઝડપી ટર્નઅરાઉન્ડ સમય

    ટૂંકા ટર્નઅરાઉન્ડ સમયને કારણે, તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ કોઈપણ ઝંઝટ વગર ઝડપથી સેટલ કરવામાં આવશે

થાઇલેન્ડ વિઝા અને પ્રવેશની માહિતી: તમારે જાણવા યોગ્ય માહિતી


જો તમે ભારતથી થાઇલેન્ડ જાઓ છો તો તેની મુલાકાત લેવા માટે તમારે વિઝાની જરૂર પડશે. તમે ભારતમાં થાઈ એમ્બેસી અથવા થાઈ દૂતાવાસ પર ભારતીયો માટે થાઇલેન્ડ વિઝા માટે અરજી કરી શકો છો.


  1. એક વર્ષ માટે નૉન-ઇમિગ્રન્ટ વિઝા

    નૉન-ઇમિગ્રન્ટ વિઝા સામાન્ય રીતે એક વર્ષ માટે માન્ય હોય છે, જે હેઠળ એકથી વધુ વાર પ્રવેશ મેળવી શકાય છે. જો કે, પ્રત્યેક પ્રવેશ માટે દર 90 દિવસે આ વિઝાની મુદત લંબાવવી પડે છે.

  2. ટૂરિસ્ટ વિઝા

    જો જરૂરી હોય તો 60-દિવસના થાઈ ટુરિસ્ટ વિઝાની મુદત, વિઝા રનના માધ્યમથી 30 દિવસ વધારી શકાય છે. આ સ્થિતિમાં, વિઝા નૉન-ઇમિગ્રન્ટ વિઝામાં બદલવામાં આવશે

  3. થાઈ એલિટ વિઝા

    પ્રિવિલેજ એન્ટ્રી વિઝામાં લાંબા ગાળાના થાઈ એલિટ વિઝાનો સમાવેશ થાય છે, જે હેઠળ મલ્ટિપલ-એન્ટ્રી વિઝા આપવામાં આવે છે અને થાઇલેન્ડમાં પાંચથી 20 વર્ષ સુધી રહેવાનો વિકલ્પ પ્રદાન કરે છે, જેમાં પ્રત્યેક પાંચ વર્ષે રિન્યુઅલ અને દરેક મુલાકાત માટે એક વર્ષનું વિસ્તરણ કરાવવું જરૂરી છે.

  4. નૉન-ઇમિગ્રન્ટ્સ માટે વિઝા

    આ 90-દિવસના થાઇલેન્ડ સિંગલ-એન્ટ્રી વિઝા હેઠળ માત્ર એક જ વાર પ્રવેશ આપવામાં આવે છે. જો કે, તમે નજીકના શહેરમાંથી વિઝા રન દ્વારા આ વિઝાને લંબાવી શકો છો.

  5. બિઝનેસ વિઝા

    જો તમે તમારા વ્યવસાયના સંદર્ભમાં થાઇલેન્ડની મુલાકાત લઈ રહ્યા છો, તો કાયદાકીય રીતે વ્યવસાય કરવા માટે તમારે બિઝનેસ વિઝા જરૂરી છે. તમે બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો અને બિઝનેસ વિઝા દ્વારા વર્ક પરમિટ મેળવી શકો છો, જે નોન-ઇમિગ્રન્ટ બિઝનેસ વિઝા તરીકે પણ ઓળખાય છે.

  6. કાયમી નિવાસ માટે વિઝા

    જો તમે એક વર્ષના એક્સટેન્ડેડ વિઝાની સાથે ઓછામાં ઓછા સતત ત્રણ વર્ષ સુધી દેશમાં તમારું રહેઠાણ જાળવી રાખ્યું હોય તો તમે આ વિઝા માટે પાત્ર બની શકો છો. જો તમે થાઈ રાષ્ટ્રીયતા ધરાવતી વ્યક્તિ સાથે પાંચ વર્ષથી લગ્ન કરેલ હોય, અને માસિક આવક 30,000 બાત હોય, અથવા જો તમે એક જ વ્યક્તિ છો અને માસિક આવક 80,000 બાત છે, તો તમે આ વિઝા માટે અરજી કરી શકો છો.

  7. મેરેજ વિઝા અને રિટાયરમેન્ટ વિઝા

    જેઓ અરજી કરવા માટે અતિરિક્ત આર્થિક પરિસ્થિતિ ધરાવે છે, તેઓને આ બેમાંથી એક પ્રકારનો વિઝા પ્રદાન કરવામાં આવે છે. જેઓ થાઈ નાગરિકો સાથે લગ્ન કરે છે તેમને મેરેજ વિઝા આપવામાં આવે છે. તમે નોન-ઇમિગ્રન્ટ વિઝાને મેરેજ અથવા રિટાયરમેન્ટ વિઝામાં બદલી શકો છો, તથા તમારે દર 90 દિવસે તમારા વિઝા રિન્યુ કરાવવાની જરૂર રહેતી નથી.

 

થાઇલેન્ડના વિઝા માટે અરજી કરવાની પ્રક્રિયા

 

કાળજીપૂર્વક અરજી પ્રક્રિયાને અનુસરો, ફોર્મ ભરો, તમામ જરૂરી ડૉક્યુમેન્ટ પ્રદાન કરો, અને મેળવો માન્ય થાઇલેન્ડ ભારતીયો માટે વિઝા.

 

    ઑફલાઇન થાઇલેન્ડ વિઝા એપ્લિકેશન સબમિટ કરવા માટે:


  • થાઇલેન્ડ વિઝા એપ્લિકેશન માટેના કોઈપણ અધિકૃત કેન્દ્રની મુલાકાત લો.
  • વૈકલ્પિક રીતે, તમે ફોર્મને ડાઉનલોડ કરીને, જરૂરી પેપરવર્ક અને ફોટો સાથે તેમના કેન્દ્રમાં સબમિટ કરી શકો છો.


  • ઑનલાઇન થાઇલેન્ડ વિઝા એપ્લિકેશન માટે:


  • કોઈપણ અધિકૃત થાઇલેન્ડ વિઝા એપ્લિકેશન સેન્ટરની વેબસાઇટની મુલાકાત લો.
  • ફોર્મ ભરીને, જરૂરી પેપરવર્ક અને તમારા પોતાના ફોટો સાથે મોકલો.
  • તમે ભારતમાં ક્યાં સ્થિત છો તેના આધારે, તમે ફોર્મ સબમિટ કર્યા પછી થાઇલેન્ડ એમ્બેસી અથવા દૂતાવાસ પસંદ કરી શકો છો.

 

ભારતીય નાગરિકો માટે થાઇલેન્ડ વિઝા ઓન અરાઇવલ: જો તમે 30 દિવસ અથવા તેનાથી ઓછા સમય માટે, પર્યટનના હેતુથી થાઇલેન્ડની મુલાકાત લઈ રહ્યા છો, તો તમારે અગાઉથી વિઝા માટે અરજી કરવાની જરૂર નથી. તે પરિસ્થિતિમાં, તમે આગમન સમયે વિઝા મેળવી શકો છો.

ભારતથી થાઇલેન્ડની મુસાફરી કરતી વખતે કયા ટ્રાવેલ ડૉક્યુમેન્ટ જરૂરી છે

ભારતીય નાગરિક તરીકે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે તમારે આ ડૉક્યૂમેન્ટની જરૂર પડશે:

  • અરજી ફોર્મ

    વિદેશ મંત્રાલય (MFA) ની માર્ગદર્શિકા અનુસાર યોગ્ય રીતે ભરવામાં આવેલ અરજી ફોર્મ સબમિટ કરો.

  • ફોટો

    તમારે તમારી એપ્લિકેશન સાથે પોતાનો 4x6-cm ફોટો શામેલ કરવો આવશ્યક છે.

  • પાસપોર્ટ

    તમારે ઓછામાં ઓછા બે ખાલી પાનાં ધરાવતો તમારો પાસપોર્ટ રજૂ કરવો આવશ્યક છે, જે ઓછામાં ઓછા છ મહિના માટે માન્ય હોવો જરૂરી છે.

  • આવકનો પુરાવો

    આ ડૉક્યુમેન્ટ પ્રદાન કરીને, તમે થાઇલેન્ડમાં તમારી મુસાફરી અને લૉજિંગ ખર્ચ માટે ચુકવણી કરવાની તમારી ક્ષમતા પર પ્રમાણિત કરો છો. તમારે આવકના પુરાવા તરીકે તમારા છેલ્લા છ મહિનાના બેંક સ્ટેટમેન્ટ પ્રદાન કરવાની જરૂર પડી શકે છે

  • રહેઠાણનો પુરાવો

    જે પ્રકારના વિઝા માટે અરજી કરવામાં આવી હોય તેના આધારે, તમારે તમારા લોજિંગનું પ્રમાણ પણ પ્રદાન કરવાની જરૂર પડી શકે છે.

  • ટિકીટો

    તમારી કન્ફર્મ્ડ રિટર્ન ફ્લાઇટ ટિકિટની એક કૉપી પણ પ્રસ્તુત કરવી આવશ્યક છે. જો કે, તમારા વિઝાના પ્રકારના આધારે, તમારે તમારી ઇચ્છિત પ્રસ્થાનની તારીખ જણાવવાની જરૂર પડી શકે છે.

થાઇલેન્ડની મુસાફરી કરતી વખતે લેવા જેવા સુરક્ષા અને સાવચેતીના પગલાં


થાઈલેન્ડની મુલાકાત લેતી વખતે, નીચે જણાવેલ સુરક્ષા અને નિવારક પગલાં લેવા મહત્વપૂર્ણ છે:

  • તમારો પાસપોર્ટ અને રોકડ ખિસ્સામાં સુરક્ષિત રીતે મૂકો

  • થાઇલેન્ડ માટે તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સની વિગતો તૈયાર રાખો

  • જો તમારો અસલ પાસપોર્ટ ખોવાઈ જાય છે, અને તમારે રિપોર્ટ ફાઇલ કરવાની જરૂર પડે છે, તો તે ધ્યાનમાં રાખીને તમારા પાસપોર્ટની કૉપી હાથવગી રાખો

  • ભીડવાળા બજારોની મુલાકાત લેતી વખતે તથા જાહેર પરિવહનનો ઉપયોગ કરતી વખતે, તમારું ખિસ્સું કપાઈ ન જાય તે માટે સાવચેત રહો

  • પટ્ટાયામાં સ્પીડબોટ્સ ભાડે લેતી વખતે, સાવચેતી રાખો કારણ કે માલિકો દ્વારા, બોટને થયેલ નાના નુકસાન માટે તમને અયોગ્ય એવી રકમ ચૂકવવાનું કહેવામાં આવી શકે છે

જાણવા માટેની મહત્વપૂર્ણ માહિતી: થાઇલેન્ડમાં ભારતીય દૂતાવાસ


ઍડ્રેસ: એમ્બેસી ઑફ ઇન્ડિયા, 46, પ્રસારમિત્ર, સુખુમવિત, સોઇ 23, બેંગકોક – 10110

વર્તમાન રાજદૂત: રાજદૂત સુચિત્રા દુરાઈ

ઇમેઇલ: enquiries.bangkok@mea.gov.in

ટેલિફોન નંબર: 02-2580300-6


ઇમરજન્સી કોન્સ્યુલર સર્વિસ:

ફૅક્સ નંબર: 02-2584627 / 2621740

કાર્યકારી કલાકો: 0830-1300 કલાક અને 1330-1700 કલાક (સોમવારથી શુક્રવાર)

 

થાઇલેન્ડમાં કયા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો આવેલા છે?

થાઇલેન્ડમાં સાત હવાઈ મથકો છે, જે આવેલા છે:

  • બૅંગકૉક
  • ફુકેત
  • સમુત્પ્રકર્ણ
  • ચિયાંગ મે
  • યૂ-તાપાઓ
  • હાટ યાઇત
  • ચિયાંગ રાઇ

થાઇલેન્ડની મુલાકાત સમયે લઈ જવા યોગ્ય કરન્સી અને ફોરેન એક્સચેન્જ:


થાઇલેન્ડનું અધિકૃત ચલણ બાત (฿) છે, જે બેંક ઑફ થાઇલેન્ડ દ્વારા પ્રિન્ટ કરવામાં આવે છે. થાઇલેન્ડની મુલાકાત લેતી વખતે, તમારી મોટાભાગની ખરીદી બાતમાં કરવામાં આવશે, અને ભારતીય રૂપિયા (₹) માંથી કન્વર્ઝન દરમાં ઘણીવાર વધઘટ હોઇ શકે છે. તમે કેટલા પૈસા લઈ જઈ/રૂપાંતરિત કરી શકો છો તે જાણવા માટે, રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો.

થાઇલેન્ડમાં મુલાકાત લેવા જેવા પ્રવાસન સ્થળો


જોવાલાયક સ્થળો ઘણા છે, પરંતુ નીચે જણાવેલ કેટલાક સ્થાનોની તમારે મુલાકાત લેવી જરૂરી છે. અને તમારી સુરક્ષાની ખાતરી કરવા માટે, તમારે થાઇલેન્ડ માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે.


  • પાર્ક નેશનલ ખાઓ યાઈ

    થાઇલેન્ડનું અદ્ભુત વન્યજીવન માટેનું અભયારણ્ય એક ઘટાદાર સ્વર્ગ છે જ્યાં વાંદરા, ગિબ્બન્સ, ચામાચિડિયા, હૉર્નબિલ્સ અને કેટલાક જંગલી થાઈ વાઘનું અસ્તિત્વ છે.

  • કંચનબુરી

    ક્વાઈ નદી પર કંચનબુરીનો અદ્ભુત પુલ નદી પર અદ્ભૂત મોનેસ્ટ્રીઝ અને નદી પર ફ્લોટિંગ ગેસ્ટહાઉસને કારણે મુલાકાત લેવા યોગ્ય છે. વધુમાં, તમે WWII ગ્રેવ્સની અથવા સાઈ યોક નેશનલ પાર્કની મુલાકાત લઈ શકો છો.

  • બૅંગકૉક

    બેંગકોકની નાઇટલાઇફ નિઃશંકપણે તમારી યાદીમાં ટોચનું સ્થાન ધરાવતું હોઇ શકે છે, પરંતુ શહેર તેના સુંદર મંદિરો માટે વધુ જાણીતું છે. કો રતનકોસિનમાં, તમે ઉત્કૃષ્ટ રીતે ડિઝાઇન કરેલા વૉટ ફો અને અન્ય મંદિરોની મુલાકાત લઈ શકો છો.

થાઇલેન્ડની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય કયો છે?


થાઇલેન્ડની મુલાકાત લેવા માટે ઠંડો અને સૂકું વાતાવરણ ધરાવતો સમય શ્રેષ્ઠ છે. નવેમ્બરના અંતથી એપ્રિલની શરૂઆત વચ્ચે તાપમાન 20 થી 34 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે, જે મુલાકાત માટે આનંદદાયક સમય છે.


કેટલાક લોકો સપ્ટેમ્બરમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે કારણ કે તે સમયે મુલાકાતીઓની સંખ્યા ઓછી હોય છે અને ફ્લાઇટ્સ અને લૉજિંગનો ખર્ચ ઓછો હોય છે. તમારો પ્રવાસ પ્લાન કરતી વખતે તમારી પાસે તમારી વધારાની સુરક્ષા માટે થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાનું ભૂલશો નહીં. ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા, વેકેશન દરમિયાન ઉદ્ભવતી કોઈપણ જરૂરી ઇમરજન્સીને કવર કરવામાં આવે છે.

Frequently Asked Questions

વારંવાર પૂછાતા પ્રશ્નો

હું થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કેવી રીતે ખરીદી શકું?

થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માટે ઇન્શ્યોરરની વેબસાઇટની મુલાકાત લો. આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરો, ત્યાર બાદ તમારી માહિતી દાખલ કરો. ઑનલાઇન ચુકવણી પૂર્ણ કરો અને તરત જ તમારો થાઇલેન્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રાપ્ત કરો.

થાઇલેન્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી પર મારે કેટલો ખર્ચ કરવો જોઈએ?

તમારી થાઇલેન્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે કેટલો ખર્ચ કરવો તે નક્કી કરતી વખતે તમારા પ્લાનની વીમાકૃત રકમ અને તમારી મુસાફરીનો સમયગાળો જેવી બાબતોને ધ્યાનમાં લો.

શું મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ થાઇલેન્ડ પ્લાન ખરીદવો જરૂરી છે?

થાઇલેન્ડ માટે મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે, કારણ કે દેશમાં પ્રવેશ કરતા તમામ વિદેશીઓ પાસે આ કવરેજ હોવું થાઇ સરકાર દ્વારા ફરજિયાત બનાવેલ છે.

 

થાઇલેન્ડ માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરતી વખતે પૂરતું કવરેજ સુનિશ્ચિત કરો.

 

લોકપ્રિય દેશો માટે વિઝા ગાઇડ


ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે