રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
PMJAY: Ayushman Bharat Yojana
17 એપ્રિલ, 2022

પીએમજેએવાય: આયુષ્માન ભારત યોજના નોંધણી અને પાત્રતા

સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ અમીર અને ગરીબ વચ્ચે કોઈ ભેદ કરતી નથી. કોઈને ઓછી કે કોઈને વધુ, પણ પ્રત્યેક વ્યક્તિને મેડિકલ સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. તે તમારી દૈનિક આદતો અને જીવનશૈલી, તમે જે આરોગો છો, તમારા વ્યસનો અને અન્ય બાબતો પર આધારિત છે. તેથી, રાષ્ટ્રના દરેક નાગરિકની સુરક્ષા માટે, ભારત સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. આ કાર્યક્રમ યુનિવર્સલ હેલ્થ કવરેજ પ્રાપ્ત કરવાના દ્રષ્ટિકોણ સાથે શરૂ કરવામાં આવ્યો હતો. આયુષ્માન ભારત યોજનાનો હેતુ "કોઈ બાકી રહી ન જાય" તે માટે તેની અંતર્ગત પ્રતિબદ્ધતા સાથે ટકાઉ વિકાસ માટે છે. આયુષ્માન ભારત યોજના એ ક્ષેત્રીય અને તૂટક અભિગમને બદલીને વ્યાપક જરૂરિયાત આધારિત અભિગમ કરવાનો પ્રયત્ન કરે છે. આયુષ્માન ભારત યોજનાના બે ઘટકો છે -
  • હેલ્થ અને વેલનેસ સેન્ટર
  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય)

હેલ્થ અને વેલનેસ સેન્ટર:

ભારત સરકારે ફેબ્રુઆરી 2018 માં હાલના પેટા-કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને હેલ્થ અને વેલનેસ સેન્ટર્સમાં રૂપાંતરિત કર્યા હતા. તેનો પ્રાથમિક ઉદ્દેશ ગરીબો માટે હેલ્થકેર સુલભ કરાવવાનો અને વધુ ઍક્સેસિબલ બનાવવાનો છે. માતૃત્વ તેમજ બાળ સંભાળ સેવાઓની સાથે મફત નિદાન સેવાઓ અને આવશ્યક દવાઓની ડિલિવરી આ કેન્દ્રોની મુખ્ય વિશેષતા છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય):

આપણાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 23 મી સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અથવા પીએમજેએવાય એ આયુષ્માન ભારત યોજનાનો બીજો ઘટક છે. પીએમજેએવાય એ વિશ્વભરમાં સૌથી મોટી હેલ્થ ઇન્શ્યોરન્સ યોજનાઓમાંની એક છે. તે ડાયગ્નોસ્ટિક્સ ટેસ્ટ, પ્રી-હોસ્પિટલાઇઝેશન ખર્ચ અને તબીબી સારવારના ખર્ચ માટે કવરેજ સાથે પ્રતિ વર્ષ કુટુંબ દીઠ ₹5 લાખનું કવર પૂરું પાડે છે. ઉપરાંત, કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ ની સુવિધા તેમ જ પેપરલેસ સુવિધા પણ પીએમજેએવાય હેઠળ ઉપલબ્ધ છે. પીએમજેએવાયના કવરેજ હેઠળ ઓછી આવક ધરાવતા 10.74 કરોડથી વધુ પરિવારો, જે ભારતીય જનસંખ્યાના લગભગ 40% થાય, તેઓ સમાવિષ્ટ છે. આ યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લોકો ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે સામાજિક-આર્થિક જાતિ વસ્તી ગણતરી 2011 (એસઇસીસી 2011) હેઠળ ગણવામાં આવતા વંચિતતા અને વ્યવસાયના માપદંડો પર આધારિત છે. અગાઉ પીએમજેએવાયને નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ (એનએચપીએસ) તરીકે ઓળખવામાં આવતી હતી. તે 2008 માં શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આરએસબીવાય) ને સમાવે છે. આમ, પીએમજેએવાય હેઠળ આ અગાઉની યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવેલ લોકો આપમેળે સમાવિષ્ટ થાય છે, જેનાથી ગરીબો સુધી તેની પહોંચનો વિસ્તાર થાય છે.  

પીએમજેએવાય યોજના હેઠળ શું લાભ મળે છે?

  • પીએમજેએવાય યોજના હૉસ્પિટલાઇઝેશન પહેલાના 3 દિવસ સુધી અને હૉસ્પિટલાઇઝેશન પછીના 15 દિવસ સુધીના ખર્ચને આવરી લે છે, જેમાં નિદાન અને દવાઓનો ખર્ચ શામેલ છે.
  • કુટુંબના સભ્યોની સંખ્યા, ઉંમર અથવા જાતિ (સ્ત્રી/પુ.) આધારિત કોઈ પ્રતિબંધ નથી.
  • પ્રથમ દિવસથી જ પહેલેથી હોય તેવા કોઈપણ રોગો માટે કવરેજ. શૂન્ય વેટિંગ પીરિયડ.
  • ડે-કેર ખર્ચને પણ આવરી લેવામાં આવે છે.
  • સ્કીમ હેઠળ નોંધાયેલા લોકો માટે પેપરલેસ સુવિધા સાથે કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ.
  • પીએમજેએવાય હેઠળની સુવિધાઓનો લાભ સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે.

પીએમજેએવાય: આયુષ્માન ભારત યોજના હેઠળ પાત્રતાના માપદંડ શું છે?

આયુષ્માન ભારત યોજનાનો હેતુ દસ કરોડથી વધુ પરિવારોને લાભ આપવાનો છે, જેમાં 50 કરોડથી વધુ વ્યક્તિઓનો સમાવેશ થાય છે, તેમાં શહેરી અને ગ્રામીણ વસ્તી માટે અલગ-અલગ માપદંડો છે.

ગ્રામીણ પીએમજેએવાય: આયુષ્માન ભારત યોજનાની પાત્રતા

ગ્રામીણ વિસ્તારમાં હેલ્થ કેર સુવિધાઓની સુલભતા એ ચિંતાનો મોટો વિષય છે, જે તબીબી આરોગ્યસંભાળના વધતા ખર્ચ સાથે વધતી જાય છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે લોકોને મોટા તબીબી બિલની ચુકવણી કરવા માટે કર્જ લેવું પડતું હોય છે.

ગ્રામીણ વિસ્તારોમાં પીએમજેએવાયનો લાભ નીચે જણાવેલ પ્રકારના લોકો લઈ શકે છે -

  1. 16 થી 59 વર્ષની ઉંમરના એકપણ પુરુષ સભ્ય ન હોય તેવા પરિવારો.
  2. 16 થી 59 વર્ષની ઉંમરના એકપણ પુખ્ત ન હોય તેવા પરિવારો.
  3. વિકલાંગ સભ્ય ધરાવતા પરિવાર અને વિકલાંગ ન હોય તેવા એકપણ પુખ્ત વયના સભ્યો ન હોય તેવા પરિવાર.
  4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઘરો.
  5. જમીન ન હોય તેવા કુટુંબો, જેમની મુખ્ય આવક જાત-મજૂરીમાંથી આવે છે.
  6. કામચલાઉ દીવાલો અને છાપરાવાળા એક રૂમના ઘરમાં રહેતા પરિવારો.
  7. મેન્યુઅલ સ્કેવેન્જર્સ તરીકે કામ કરતા પરિવારો.
  8. ઘરવિહોણા પરિવારો.
  9. અસલ આદિવાસી જૂથ.
  10. કાયદેસર રીતે રિલીઝ કરેલ બોન્ડેડ લેબર.
  11. અત્યંત ગરીબીમાં રહેતા કે માંગીને ગુજરાન ચલાવતા વ્યક્તિઓ.

શહેરી પીએમજેએવાય: આયુષ્માન ભારત યોજના માટે પાત્રતા

પરિવાર દીઠ ₹5 લાખના વીમા કવચ સાથે, આયુષ્માન ભારત યોજનાનો લાભ શહેરી વિસ્તારોના નીચે જણાવેલ વર્ગના લોકો લઈ શકશે -
  1. કચરો વીણનાર
  2. ભિક્ષુકો
  3. ઘરેલું કામદારો
  4. શેરી વિક્રેતાઓ, મોચી કે ફેરિયાઓ અથવા ફૂટપાથ પર સેવાઓ પ્રદાન કરતી અન્ય વ્યક્તિઓ.
  5. બાંધકામના કામદારો, પ્લમ્બર, મજૂર, પેઇન્ટર્સ, વેલ્ડર્સ, સિક્યોરીટી ગાર્ડ્સ
  6. સ્વીપર અને સફાઇ કામદારો
  7. વાહનવ્યવહારની સેવાઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓ જેમ કે ડ્રાઇવર, કંડક્ટર, હેલ્પર, લારી અથવા રિક્ષા ખેંચનાર તથા માથે ભાર ઉંચકતા વ્યક્તિઓ.
  8. ઘરેથી કામ કરનાર કામદારો, દરજીઓ અને હસ્તકલા કામદારો સહિતના કારીગરો.
  9. દુકાનમાં કામ કરતા કામદારો, નાની સંસ્થાઓમાં મદદનીશો અથવા પટાવાળા, ડિલિવરી બોય અને વેઇટર.
  10. વૉશર-મેન અથવા ચોકીદાર.
તદુપરાંત, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના (આરએસબીવાય) હેઠળ શામેલ પરિવારોને પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.  

પીએમજેએવાય: આયુષ્માન ભારત યોજના હેઠળ કોને આવરી લેવામાં આવતા નથી?

નીચે જણાવેલ વ્યક્તિઓ અથવા કુટુંબોને પીએમજેએવાયથી બાકાત રાખવામાં આવશે -
  1. બ્રેકેટ હેઠળ આવતું અને આવકવેરા અથવા વ્યવસાય વેરો ચૂકવતું કોઈપણ કુટુંબ.
  2. કોઈ સભ્ય સરકારી કર્મચારી હોય તેવા કુટુંબો.
  3. સરકાર સાથે નોંધાયેલા બિન-કૃષિ ઉદ્યોગોમાં કાર્યરત લોકો.
  4. કુટુંબના કોઈપણ સભ્યની માસિક આવક ₹10,000 કરતાં વધુ હોય.
  5. ₹50,000 ની ક્રેડિટ મર્યાદા સાથે કિસાન કાર્ડ ધરાવતા કુટુંબો.
  6. ટુ, થ્રી અથવા ફોર-વ્હીલર ધરાવતા અથવા મોટરાઇઝ્ડ ફિશિંગ બોટ ધરાવતા વ્યક્તિઓ.
  7. રેફ્રિજરેટર્સ અને લેન્ડલાઇન ફોન્સ ધરાવતા કુટુંબો.
  8. સિંચાઈના ઉપકરણો સાથે 2.5 એકરથી વધુ જમીનની માલિકી ધરાવતા લોકો.
  9. પાકા ઘરમાં રહેતા વ્યક્તિઓ.

આયુષ્માન ભારત સ્કીમમાં નોંધણી પ્રક્રિયા શું છે?

આયુષ્માન ભારત સ્કીમમાં નોંધણી માટે કોઈપણ વિશેષ પ્રક્રિયાને અનુસરવાની જરૂર નથી. પીએમજેએવાય સ્કીમના લાભાર્થીઓની ઓળખ સામાજિક-આર્થિક જાતિ આધારીત ગણતરી, 2011 (એસઇસીસી 2011) અને આરએસબીવાય યોજના દ્વારા કરવામાં આવે છે. તમે પીએમજેએવાય યોજના હેઠળ તમારી પાત્રતા આ રીતે તપાસી શકો છો - પીએમજેએવાયની કોઈ વિશેષ આયુષ્માન ભારત નોંધણી પ્રક્રિયા નથી કારણ કે તે એસઇસીસી 2011 દ્વારા નક્કી થયેલ તમામ લાભાર્થીઓ અને જેઓ પહેલેથી જ આરએસબીવાય યોજનાનો ભાગ છે તેમને લાગુ પડે છે. તેમ છતાં, તમે પીએમજેએવાયના લાભાર્થી બનવા માટે પાત્ર છો કે નહીં તે કેવી રીતે તપાસી શકો છો તે અહીં આપેલ છે.
  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની અધિકૃત વેબસાઇટ પર જાઓ.
  • 'શું હું પાત્ર છું' બટન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમારો મોબાઇલ નંબર અને સિક્યોરીટી કેપ્ચા દાખલ કરો અને 'ઓટીપી જનરેટ કરો' પર ક્લિક કરો.’
  • તમારું રાજ્ય પસંદ કરો અને તમારા નામ અથવા એચએચડી નંબર અથવા રાશન કાર્ડ અથવા મોબાઇલ નંબર દ્વારા સર્ચ કરો.
ઉપરોક્ત પ્રક્રિયા દ્વારા તમારું કુટુંબ પીએમજેએવાય યોજના હેઠળ આવરી લેવામાં આવે છે કે નહીં તે જાણી શકશો. વધુ વિગતો માટે એમ્પેનલ્ડ હેલ્થ કેર પ્રોવાઇડર (ઇએચસીપી) નો સંપર્ક કરીને પણ તમે અરજી કરી શકો છો. *પ્રમાણભૂત નિયમો અને શરતો અપ્લાય કરો ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે