અંગ્રેજી

Claim Assistance
Get In Touch
How To Transfer Bike Insurance To New Owner
જાન્યુઆરી 3, 2025

How to Transfer Bike Insurance Policy for a Second-hand Vehicle

Two-wheelers are the most common mode of transport in India, especially when you have to travel during peak traffic hours. Two-wheelers include scooters, mopeds, and motorcycles. A large number of these vehicles run on Indian roads daily. People in India buy and sell bikes based on their changing needs and the changing trends in the two-wheeler industry. While most of them buy a new two-wheeler, many of them also purchase a second-hand vehicle. When buying a new bike, you need to get bike insurance online or offline. But when buying a second-hand bike or selling your used bike, you need to get the existing insurance policy transferred to the new owner of the vehicle.

બાઇક વેચનાર માટે બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર શા માટે લાભદાયક છે?

બાઇક વેચનાર માટે બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર લાભદાયક છે કારણ કે તેને લીધે તેઓ તેમની બાઇકનું બાકીનું ઇન્શ્યોરન્સ કવરેજ નવા માલિકને ટ્રાન્સફર કરી શકે છે. આ ખાસ કરીને, એવા બાઇક વેચનારાઓ માટે ઉપયોગી હોઈ શકે છે, જેમની પૉલિસીનું મોટાભાગનું કવરેજ બાકી હોય, જેના કારણે નવા માલિકે નવી પૉલિસી ખરીદવાની કે અતિરિક્ત કવરેજ માટે ચુકવણી કરવાની જરૂર રહેતી નથી. આ ઉપરાંત, ઇન્શ્યોરન્સ કવરેજને ટ્રાન્સફર કરીને, બાઇક વેચનાર સુનિશ્ચિત કરી શકે છે કે અકસ્માત અથવા ચોરીના કિસ્સામાં નવા માલિક સુરક્ષિત રહે. બાઇક વેચનાર માટે બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફરનો એક સૌથી મુખ્ય લાભ એ છે કે આના લીધે તેમની બાઇકની વેચાણ કિંમતમાં વધારો થઈ શકે છે. જો કોઈ સંભવિત ખરીદદારને ખબર હોય કે બાઇક ઇન્શ્યોરન્સ કવરેજ હેઠળ છે, તો તેઓની બાઇક ખરીદવાની શક્યતા વધી જાય છે, કારણ કે તેમણે નવી પૉલિસી ખરીદવા અથવા અતિરિક્ત કવરેજ માટે ચુકવણી કરવા વિશે ચિંતા કરવાની હોતી નથી. આને લીધે ખરીદદારો માટે આવી બાઇક આકર્ષક ડીલ બની શકે છે અને વેચનાર પોતાની બાઇક માટે વધુ કિંમત માંગી શકે છે. છેલ્લે, બાઇકના નવા માલિકને સુરક્ષાની ભાવના અને મનની શાંતિ પ્રદાન કરીને, બાઇક વેચનાર માટે પોતાની અંતરાત્માને સ્વચ્છ રાખવાનો આ એક ઉત્તમ માર્ગ છે.

બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર માટે કયા ડૉક્યૂમેન્ટ જરૂરી છે?

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર કરવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટ આ મુજબ છે:
  1. આરસી (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ)
  2. વાહનની વિગતો
  3. મૂળ ઇન્શ્યોરન્સ પૉલિસી
  4. માલિકી ટ્રાન્સફરની તારીખ
  5. અગાઉના માલિકનું નામ
  6. મૂળ પૉલિસી માટે ચૂકવેલ પ્રીમિયમની વિગતો
  7. પાછલા પૉલિસીધારક તરફથી એનઓસી (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ)
  8. ખરીદદાર અને વિક્રેતાની વ્યક્તિગત વિગતો:
  9. પૅન અથવા આધાર કાર્ડ
  10. ડ્રાઇવિંગ લાયસન્સ
  11. સંપર્ક વિગતો
બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનને નવા માલિકના નામ પર ટ્રાન્સફર કરતી વખતે, ટ્રાન્સફર પ્રક્રિયાના માધ્યમથી તમે તમારું જમા થયેલ નો-ક્લેઇમ બોનસ જાળવી શકો છો. ત્યારબાદ, તમે જે નવી પૉલિસી ખરીદો, તેમાં આ બોનસ ટ્રાન્સફર કરી શકો છો. આ પણ વાંચો: ભારતમાં બાઇક અકસ્માત માટે ઇન્શ્યોરન્સ ક્લેઇમ કેવી રીતે કરવો?

અવરોધ વગર સેકન્ડ-હેન્ડ/યૂઝ્ડ વાહન ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર માટે ધ્યાનમાં લેવાની બાબતો

ટૂ-વ્હીલર વેચતી વખતે, ઇન્શ્યોરન્સ પૉલિસીને નવા માલિકને ટ્રાન્સફર કરવી આવશ્યક છે. અવરોધ વગર બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે અહીં એક ઝડપી માર્ગદર્શિકા આપેલ છે:

સમયમર્યાદા

ભારતમાં, માલિકી ટ્રાન્સફરના 14 દિવસની અંદર બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર કરવો ફરજિયાત છે. પ્રક્રિયામાં વિલંબ થવાથી જટિલતાઓ થઈ શકે છે અને સંભવિત રીતે નવા માલિક યોગ્ય કવરેજથી વંચિત રહી શકે છે.

પૉલીસીનો પ્રકાર

માલિકી ટ્રાન્સફર દરમિયાન માત્ર થર્ડ-પાર્ટી જવાબદારી ભાગ ઑટોમેટિક રીતે ટ્રાન્સફર કરવામાં આવે છે. જો જરૂરી હોય તો નવા માલિકને અતિરિક્ત કવરેજ (પોતાના નુકસાન) ખરીદવાની જરૂર પડશે.

આવશ્યક ડૉક્યૂમેન્ટ

ખરીદદાર અને વિક્રેતા બંનેના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી), ઇન્શ્યોરન્સ પૉલિસીના ડૉક્યૂમેન્ટ, વેચાણનો પુરાવો અને કેવાયસી ડૉક્યૂમેન્ટ (પાન કાર્ડ/આધાર કાર્ડ) જેવા જરૂરી ડૉક્યૂમેન્ટ એકત્રિત કરો.

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ટ્રાન્સફર કરવાના પગલાં શું છે?

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીને ટ્રાન્સફર કરવા માટે, ખરીદદારે નીચે જણાવેલ પગલાં અનુસરવા આવશ્યક છે:
  1. તમે ખરીદેલ ટૂ-વ્હીલરના ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર માટે તેની ખરીદીના 14 દિવસની અંદર અરજી કરો.
  2. Choose the two-wheeler insurance plan which can fulfil all your requirements.
  3. પ્રપોઝલ ફોર્મ ભરો અને માલિકીના ટ્રાન્સફર સંબંધિત વિગતોનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરો.
  4. ઉપર ઉલ્લેખિત તમામ ડૉક્યૂમેન્ટ ઇન્શ્યોરન્સ પ્રદાતાને સબમિટ કરો.
  5. જરૂરી ડૉક્યૂમેન્ટ સાથે ફોર્મ 29/30/સેલ ડીડ પણ સબમિટ કરો.
  6. ઇન્શ્યોરન્સ કંપની એક નિરીક્ષક મોકલશે, જે નિરીક્ષણ રિપોર્ટ તૈયાર કરશે.
  7. ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીને ટ્રાન્સફર કરવા માટે, નજીવી ટ્રાન્સફર ફી પણ ચૂકવવી પડશે.
  8. એકવાર ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા તમામ બાબતો વેરિફાઇ કરવામાં આવે પછી, ટૂ-વ્હીલર પૉલિસી તમારા નામ પર ટ્રાન્સફર કરવામાં આવશે.
આ પણ વાંચો: બાઇકની ચોરી માટે ઇન્શ્યોરન્સ કેવી રીતે ક્લેઇમ કરવો?

તારણ

Transferring bike insurance for a second-hand vehicle ensures legal compliance and continuous coverage. By completing the necessary steps and submitting required documents, both the buyer and seller can avoid future complications. Always confirm the policy status before completing the transaction to ensure a smooth and hassle-free transfer process.

વારંવાર પૂછાતા પ્રશ્નો

1. બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર શું છે? 

બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર એ બાઇક વેચનાર પાસેથી બાઇકના બાકીના ઇન્શ્યોરન્સ કવરેજને નવા માલિકના નામ પર ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા છે.

2. બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર કેવી રીતે કામ કરે છે? 

બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફરની પ્રક્રિયામાં, સામાન્ય રીતે, બાઇક વેચનાર પોતાની બાઇકના વેચાણ વિશે અને નવા માલિકની માહિતી પ્રદાન કરવા માટે પોતાની ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરે છે. ત્યારબાદ ઇન્શ્યોરન્સ કંપની નવા માલિકના નામ પર કવરેજ ટ્રાન્સફર કરશે.

3. શું બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર માટે કોઈ ફી હોય છે? 

કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓ બાઇક ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર માટે મામૂલી ફી વસૂલી શકે છે, જ્યારે અન્ય કંપનીઓ આ સર્વિસ મફતમાં પ્રદાન કરતી હોય છે. તેથી તમારી ઇન્શ્યોરન્સ કંપનીની આ અંગેની પૉલિસી જાણવા માટે તેમનો સંપર્ક કરવો એ શ્રેષ્ઠ છે.

4. બાઇક ઇન્શ્યોરન્સની ટ્રાન્સફરમાં કેટલો સમય લાગે છે? 

બાઇક ઇન્શ્યોરન્સની ટ્રાન્સફર પૂર્ણ કરવામાં ઇન્શ્યોરન્સ કંપનીના આધારે અલગ અલગ સમય લાગી શકે છે, પરંતુ સામાન્ય રીતે તેમાં થોડા દિવસો લાગતા હોય છે.

5. જો હું મારી બાઇક વેચું તો શું મારે મારી ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવાની જરૂર છે? 

હા, ઇન્શ્યોરન્સ કવરેજને નવા માલિકના નામ પર ટ્રાન્સફર કરવા માટે, તમે તમારી બાઇકને વેચો તેની જાણ તમારે ઇન્શ્યોરન્સ કંપનીને કરવી મહત્વપૂર્ણ છે.

6. નવા માલિકને ઇન્શ્યોરન્સ કેવી રીતે ટ્રાન્સફર કરવો? 

તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાનો સંપર્ક કરો: તમારા ઇન્શ્યોરરને વેચાણ વિશે અને પૉલિસી ટ્રાન્સફર કરવાના તમારા હેતુ વિશે જાણ કરો. ડૉક્યૂમેન્ટ સબમિટ કરો: તમારા ઇન્શ્યોરરને જરૂરી ડૉક્યૂમેન્ટ પ્રદાન કરો. તેઓ શામેલ વિશિષ્ટ પગલાં દ્વારા તમને માર્ગદર્શન આપી શકે છે. નવા માલિકનું કવરેજ: નવા માલિકે તેમની કવરેજની જરૂરિયાતો વિશે ચર્ચા કરવા અને સંભવિત રીતે અતિરિક્ત રાઇડર (પોતાના નુકસાન, ઍડ-ઑન કવર) ખરીદવા માટે ઇન્શ્યોરરનો સંપર્ક કરવાનો રહેશે.

7. ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર માટેની ફી શું છે? 

ઇન્શ્યોરન્સ કંપની ટ્રાન્સફરની પ્રક્રિયા કરવા માટે નજીવી ફી વસૂલ કરી શકે છે. ચોક્કસ રકમ માટે તમારા ઇન્શ્યોરર સાથે તપાસ કરવી શ્રેષ્ઠ છે.

8. ભારતમાં બાઇક ઇન્શ્યોરન્સ કેવી રીતે ટ્રાન્સફર કરવો? 

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર પ્રક્રિયામાં સામાન્ય રીતે તમારા ઇન્શ્યોરરનો સંપર્ક કરવાનો અને જરૂરી ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાનો સમાવેશ થાય છે. તમે તમારા ઇન્શ્યોરર સાથે તેમની વિશિષ્ટ ઑનલાઇન અથવા ઑફલાઇન પ્રક્રિયાઓ માટે પૂછપરછ કરી શકો છો. યાદ રાખો, નવા માલિકને તેમના ઇચ્છિત કવરેજને સુરક્ષિત કરવા માટે વધુ પગલાં લેવાની જરૂર પડી શકે છે. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ *ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો. આ પેજ પરની સામગ્રી સામાન્ય છે અને માત્ર માહિતી અને સ્પષ્ટીકરણના હેતુઓ માટે શેર કરવામાં આવી છે. તે ઇન્ટરનેટ પરના કેટલાક સેકન્ડરી સ્રોતો પર આધારિત છે અને તે ફેરફારોને આધિન હોય છે. કોઈપણ સંબંધિત નિર્ણયો લેતા પહેલાં, કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!