રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Breast Cancer
જાન્યુઆરી 8, 2023

કેવી રીતે કૅન્સરના દર્દીઓ માટે શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરવો?

કૅન્સર, આ નામ સાંભળતા જ ગભરામણ થઈ જતી હોય છે. તમારા નજીકના સંબંધી હોય કે તમારા મિત્ર, કોઈને પણ તેનું નિદાન થતાં ઉદાસીનતા છવાઈ જાય છે. પરંતુ ભારતમાં આંકડાઓ ચિંતાજનક હોવાથી. એવું જણાવવામાં આવે છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) ના અહેવાલ અનુસાર વર્ષ 2025 સુધીમાં આ કેસની સંખ્યા 15 લાખ જેટલી થઈ શકે છે[1]. આ વર્ષ 2020 માટેના અંદાજિત આંકડાઓથી 12% વધારે છે[2]. લોકોમાં કૅન્સરની વૃદ્ધિના આવા ભયજનક દરને કારણે, તમારી પાસે કૅન્સર ઇન્શ્યોરન્સ કવર હોવું જરૂરી છે.

કૅન્સર ઇન્શ્યોરન્સ પૉલિસી શું છે?

કૅન્સર ઇન્શ્યોરન્સ એ ખાસ તૈયાર કરવામાં આવેલ ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ જે આ બીમારીના નિદાન પર એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરે છે. કૅન્સર ઇન્શ્યોરન્સ પ્લાન હૉસ્પિટલાઇઝેશન, રેડિયેશન, કીમોથેરેપી, સર્જરી અને તેવી અન્ય સારવાર સાથે સંકળાયેલા વિવિધ ખર્ચ માટે કવરેજ પ્રદાન કરે છે. કૅન્સર પૉલિસી માત્ર આર્થિક જ નહીં, પરંતુ માનસિક સુરક્ષા પણ પૂરી પાડે છે, કારણ કે આ પૉલિસીઓ હેઠળ બીમારીના પ્રારંભિક અને ઍડવાન્સ બંને તબક્કાને કવર કરવામાં આવે છે. કેટલાક કૅન્સર ઇન્શ્યોરન્સ પ્લાનમાં એકસામટી રકમની ચુકવણી રોગોની ગંભીરતા પ્રમાણે કરવામાં આવે છે. આ તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ કવરની શરતોને આધિન છે.

ભારતમાં કૅન્સર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ દ્વારા કયા પ્રકારના કૅન્સરને કવર કરવામાં આવે છે?

ભારતમાં, કૅન્સર ઇન્શ્યોરન્સ હેઠળ સામાન્ય રીતે નીચે જણાવેલ મુખ્ય પ્રકારના કૅન્સરને કવર કરવામાં આવે છે જેમ કે:
  • બ્રેસ્ટ કેન્સર
  • ફેફસાનું કૅન્સર
  • પ્રોસ્ટેટ કૅન્સર
  • ઓવેરિયન કેન્સર
  • આંતરડાનું કૅન્સર
કેટલાક પ્લાન હેઠળ અન્ય પ્રકારના કૅન્સર પણ આવરી લેવામાં આવી શકે છે, જેમ કે મૂત્રાશયનું કૅન્સર અને પેન્ક્રિયાટિક કૅન્સર.

કૅન્સર ઇન્શ્યોરન્સ પૉલિસી કયા લાભો ઑફર કરે છે?

કૅન્સર કવર સાથેનો હેલ્થ ઇન્શ્યોરન્સ વ્યક્તિઓને કૅન્સરના નિદાનને કારણે પડતાં આર્થિક બોજાને મેનેજ કરવામાં મદદ કરી શકે તેવા અનેક લાભો ઑફર કરે છે. કૅન્સર ઇન્શ્યોરન્સ કવરેજના કેટલાક લાભોમાં શામેલ છે:
  1. કીમોથેરેપી, રેડિયેશન થેરેપી અને સર્જરી સહિત કૅન્સરની સારવારને લગતા ખર્ચ માટે કવરેજ *
  2. હૉસ્પિટલાઇઝેશન અને મેડિકલ ટેસ્ટ માટે કવરેજ *
  3. સારવાર અને રિકવરી દરમિયાન ગુમાવેલી આવકને કવર કરવામાં મદદ કરવા માટે ઇન્કમ રિપ્લેસમેન્ટ અથવા ડિસેબિલિટી કવરેજ *
  4. ભાવનાત્મક સહાય માટે કાઉન્સેલિંગ સર્વિસ અથવા સપોર્ટ ગ્રુપનો સંપર્ક *
  5. કૅન્સરની વહેલી જાણકારી મેળવવા માટે એકસામટી રકમની ચુકવણી *
  6. વધુ વ્યાપક કવરેજ માટે ઉચ્ચ વીમાકૃત રકમ પસંદ કરવાનો વિકલ્પ *
  7. પૉલિસીની મુદત અને પ્રીમિયમ ચુકવણીની ફ્રીક્વન્સી પસંદ કરવાની સુગમતા
કૅન્સર સંબંધિત ખર્ચ અને સપોર્ટ સર્વિસ માટે વ્યાપક કવરેજ પ્રદાન કરીને, કૅન્સર કવર સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ કૅન્સરના નિદાનથી ઉદ્ભવતા આર્થિક અને ભાવનાત્મક તણાવને દૂર કરવામાં મદદ કરી શકે છે.

કયા કારણોથી કૅન્સર ઇન્શ્યોરન્સ કવર જરૂરી બને છે?

કેટલાક કારણો અહીં આપેલ છે, જેને ધ્યાનમાં રાખીને જરૂરી બને છે એક કૅન્સર ઇન્શ્યોરન્સ પૉલિસી:
  1. કૅન્સરની મોંઘી સારવાર:

    કૅન્સરની સારવાર પાછળ ખૂબ ખર્ચ થઈ શકે છે, અને તેની સાથે સંકળાયેલા તમામ ખર્ચને કવર કરવા માટે એક સામાન્ય ઇન્શ્યોરન્સ કવરેજ અપૂરતું નિવડી શકે છે. કૅન્સર ઇન્શ્યોરન્સ કવર હૉસ્પિટલમાં રહેવા, કીમોથેરેપી, રેડિયેશન થેરેપી અને સર્જરી સહિતના મેડિકલ ખર્ચ માટે કવરેજ પ્રદાન કરીને અહીં મદદ કરી શકે છે. *
  2. આર્થિક સુરક્ષા:

    કૅન્સરના નિદાનને પરિણામે વ્યક્તિ અને તેમના પરિવાર પર નોંધપાત્ર આર્થિક બોજ આવી પડે તેમ બની શકે છે. કૅન્સરની સારવારનો ખર્ચ તથા ગુમાવેલ આવક અને પરિવહન ખર્ચ જેવા અન્ય ખર્ચને કવર કરીને કૅન્સર ઇન્શ્યોરન્સ કવરેજ આર્થિક સુરક્ષા પ્રદાન કરી શકે છે.
  3. વહેલી તકે નિદાન:

    કૅન્સરની વહેલી તકે જાણ પ્રાપ્ત થવાથી સારવારનું સારું પરિણામ મેળવી શકાય છે. કેટલાક કૅન્સર ઇન્શ્યોરન્સ કવર કૅન્સર સ્ક્રીનિંગ ટેસ્ટ માટે કવરેજ ઑફર કરે છે, જે શરૂઆતના તબક્કે કૅન્સરને ઓળખવામાં મદદ કરી શકે છે.
  4. મનની શાંતિ:

    જો તમે કૅન્સર ઇન્શ્યોરન્સ કવરેજ લીધેલ છે તો તે કૅન્સરના નિદાન બાદ મનની શાંતિ પ્રદાન કરી શકે છે અને સાથે સંકળાયેલ તણાવને ઘટાડી શકે છે. તે કૅન્સરના નિદાન સાથે ઘણીવાર આવતી કેટલીક આર્થિક ચિંતાઓને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.
  5. હાલના ઇન્શ્યોરન્સને પૂરક:

    કૅન્સરની સારવારના વિશિષ્ટ અતિરિક્ત લાભો પ્રદાન કરીને કૅન્સર ઇન્શ્યોરન્સ તમારા હાલના હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજને પૂરક બની શકે છે. તે એવા ખર્ચ માટે પણ કવરેજ પ્રદાન કરી શકે છે, જે કદાચ કવર ના હોય જ્યારે તમે લીધો હોય તમારો નિયમિત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન
સારાંશમાં, એક કૅન્સર કવર પૉલિસી આર્થિક સુરક્ષા અને મનની શાંતિ પૂરી પાડે છે તેમજ હાલના હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજને પૂરક બનાવી શકાય છે.

કૅન્સરના દર્દીઓ માટે શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અહીં જણાવેલ છે

  • નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરાવો:

    નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બિમારીની જાણ જેટલી વહેલી તકે થઈ શકે, તેટલી જ તેની સારવાર કરવાની શક્યતા વધારે છે. તેથી, નિયમિત અને સમયાંતરે હેલ્થ ચેક-અપ કરાવવાથી નિદાન વહેલી તકે કરવામાં મદદ મળે છે. વધુમાં, ડૉક્ટરો દ્વારા 40 વર્ષથી વધુની ઉંમરની મહિલાઓ માટે મેમોગ્રાફી, પૅપ સ્મિયર અને અલ્ટ્રાસાઉન્ડ જેવા મહિલાઓ માટેના પરીક્ષણોની ભલામણ કરવામાં આવે છે. 55 વર્ષથી વધુના પુરુષો માટે, અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ વહેલા નિદાનમાં મદદ કરી શકે છે. નિદાન માટે હેલ્થ ચેક-અપ જરૂરી હોવાને કારણે ભારતમાં કૅન્સર ઇન્શ્યોરન્સ ખરીદવાની સલાહ આપવામાં આવે છે જે આ તપાસને કવર કરે છે.
  • યોગ્ય ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો:

    જ્યારે ઉપલબ્ધ અસંખ્ય વિકલ્પોમાંથી કૅન્સર ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવાની વાત આવે છે, ત્યારે એવી પૉલિસી ખરીદવી જરૂરી છે, જેમાં હોય પર્યાપ્ત વીમાકૃત રકમ. સારવારનો ખર્ચ ખૂબ જ વધુ હોવાથી, આ ઉચ્ચ સારવારના ખર્ચને કવર કરી શકાય તેવી વીમાકૃત રકમ આવશ્યક છે. સામાન્ય રીતે, અન્ય ઘણા પરિબળોના આધારે, તમે જે શહેરમાં નિવાસ કરી રહ્યાં છો તે શહેરમાં થતાં સરેરાશ સારવાર ખર્ચ કરતાં ઓછામાં ઓછો 1.25 ગણો કૅન્સર ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે. આ રીતે, તમે વધતા મેડિકલ ફુગાવા તેમજ ભવિષ્ય માટે તૈયાર રહી શકો છો. ફેમિલી ફ્લોટર પૉલિસીઓ માટે, ઊંચી રકમનો કૅન્સર ઇન્શ્યોરન્સ કવરેજ લેવો યોગ્ય છે, કારણ કે તેનો લાભ ઘણા અન્ય વ્યક્તિઓ સાથે વહેંચાઈ જાય છે.
  • સહ-ચુકવણીની કલમ ચેક કરો:

    સહ-ચુકવણીની કલમ એ છે જેમાં તમારે, એટલે કે પૉલિસીધારકે સારવારનો કેટલોક ખર્ચ ચૂકવવાનો રહેશે, અને બાકીનો હિસ્સો તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવે છે. સહ-ચુકવણીની કલમના ઉપયોગથી પ્રીમિયમ ઓછું કરી શકાય છે પરંતુ કૅન્સર ઇન્શ્યોરન્સ માટે પસંદ કરેલી પૉલિસી સિવાય, કારણ કે તેમાં તમારે ખર્ચનો મોટો ભાગ ચૂકવવાનો રહે છે.
  • વેટિંગ પીરિયડની તુલના કરો:

    કૅન્સર ઇન્શ્યોરન્સ કવરેજ મેળવતી વખતે ધ્યાનમાં રાખવાનું અન્ય એક મહત્વપૂર્ણ પરિબળ પૉલિસીનો વેટિંગ પીરિયડ છે. અલગ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન અલગ-અલગ વેટિંગ પીરિયડ ધરાવે છે અને તેને ખરીદીના સમયે ધ્યાનમાં લેવું જોઈએ. લાંબો વેટિંગ પીરિયડ એટલે આ બીમારીઓ માટે તમારું ઇન્શ્યોરન્સ કવરેજ ચાલુ થતા પહેલાં વધુ સમય રાહ જોવાની રહેશે. કૅન્સર ઇન્શ્યોરન્સ પૉલિસીની આ કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે. ઇન્શ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવતી સુવિધાઓનું સંપૂર્ણ વિશ્લેષણ ભારતમાં યોગ્ય કૅન્સર ઇન્શ્યોરન્સ પસંદ કરવામાં મદદરૂપ નિવડે છે. વધુમાં, જો તમારા પરિવારમાં કૅન્સરની તકલીફ હોય તો આ પ્રકારનો કૅન્સર ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે. આ રીતે, બીમારી થવાની સ્થિતિમાં તમે આર્થિક સહાયતા મેળવી શકો છો. આખરમાં, આ કૅન્સર ઇન્શ્યોરન્સ પૉલિસી તમારી સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનું સ્થાન લેતી નથી, પરંતુ તેના બદલે ચોક્કસ બીમારી માટે સપ્લીમેન્ટરી પ્લાન છે. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

કેન્સર ઇન્શ્યોરન્સ કવરમાં શું બાકાત રાખવામાં આવે છે?

જ્યારે હેલ્થ ઇન્શ્યોરન્સ કૅન્સર કવરેજ એ કૅન્સરનું નિદાન થયેલ વ્યક્તિઓ માટે મૂલ્યવાન કવરેજ પ્રદાન કરી શકે છે, ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે આ પ્લાનમાં કેટલીક બાબતો બાકાત રાખવામાં આવેલ હોઈ શકે છે. કૅન્સર ઇન્શ્યોરન્સ કવર ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવા કેટલાક સામાન્ય બાકાત અહીં આપેલ છે:
  1. પહેલેથી હોય તેવી બીમારી:

    ઘણાં કૅન્સર ઇન્શ્યોરન્સ પ્લાનમાં પહેલાંથી હોય તેવી સ્વાસ્થ્યને લગતી તકલીફો કવર કરવામાં આવતી નથી. આનો અર્થ એ છે કે જો તમને ભૂતકાળમાં કૅન્સરનું નિદાન કરવામાં આવ્યું હોય અથવા કૅન્સરની સારવાર પ્રાપ્ત થઈ હોય, તો તમને કવરેજ ન મળે તેમ બની શકે છે.
  2. કૅન્સર સિવાયની સારવાર:

    કૅન્સર ઇન્શ્યોરન્સ કવરેજમાં સામાન્ય રીતે કીમોથેરેપી, રેડિયેશન થેરેપી અને સર્જરી જેવી કૅન્સર સંબંધિત સારવાર કવર કરવામાં આવે છે. અન્ય મેડિકલ સારવારો, જેમ કે દાંત અથવા આંખની સારવાર, કવર કરી શકાતા નથી.
  3. પ્રાયોગિક સારવાર:

    કેટલાક કૅન્સર ઇન્શ્યોરન્સ પ્લાનમાં પ્રાયોગિક સારવાર અથવા ક્લિનિકલ પરીક્ષણો કવર કરવામાં આવતા નથી.
  4. છેલ્લા તબક્કાનું કૅન્સર:

    પ્લાનના આધારે, છેલ્લા તબક્કાનું કૅન્સર ધરાવતા વ્યક્તિઓ માટે કવરેજ મર્યાદિત હોઈ શકે છે. આનો અર્થ એ છે કે જો તમને ઍડવાન્સ્ડ-સ્ટેજ કૅન્સર હોવાનું નિદાન કરવામાં આવે છે, તો તમે સંપૂર્ણ કવરેજ માટે પાત્ર ન હોઈ શકો.
  5. અન્ય બાકાત બાબતો:

    કૅન્સર ઇન્શ્યોરન્સ પ્લાન્સમાં ત્વચાના કૅન્સર જેવા કેટલાક પ્રકારના કૅન્સર પણ કવરેજમાંથી બાકાત રાખવામાં આવી શકે છે.
કોઈપણ કૅન્સર ઇન્શ્યોરન્સ કવર હેઠળ શું કવર કરવામાં આવે છે અને શું બાકાત રાખવામાં આવ્યું છે તે જાણવા માટે તેના નિયમો અને શરતોની કાળજીપૂર્વક સમીક્ષા કરવી મહત્વપૂર્ણ છે. કૅન્સર કવર સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ મૂલ્યવાન કવરેજ પ્રદાન કરી શકે છે, અણધાર્યા અથવા અનપેક્ષિત ખર્ચને ટાળવા માટે કોઈપણ બાકાત બાબતોની સ્પષ્ટ સમજણ હોવી મહત્વપૂર્ણ છે.

કૅન્સર ઇન્શ્યોરન્સની ક્લેઇમની પ્રક્રિયા અને ચુકવણીની પ્રક્રિયા કેવી છે?

ક્લેઇમની પ્રક્રિયા અને ચુકવણી કેવી રીતે થાય તેના વિશે પગલાંબદ્ધ વિગતો અહીં આપેલ છે, જ્યારે તમે ખરીદો કૅન્સર ઇન્શ્યોરન્સ પૉલિસી:
  1. ક્લેઇમ સબમિટ કરવો:

    ક્લેઇમની પ્રક્રિયા શરૂ કરવા માટે, તમારે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાને ક્લેઇમ ફોર્મ સબમિટ કરવાની જરૂર પડશે. ક્લેઇમ ફોર્મમાં સામાન્ય રીતે તમારું નિદાન, સારવારનો પ્લાન અને હેલ્થકેર પ્રદાતાની વિગતો જેવી માહિતી આપવાની રહે છે. કેટલાક પ્લાનમાં, વ્યક્તિને એક ચોક્કસ સમયગાળા દરમિયાન કૅન્સરનું નિદાન થયેલું હોવું જરૂરી છે, જેને સર્વાઇવલ પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે, * તેઓ ક્લેઇમ કરી શકે તે પહેલાં.
  1. ક્લેઇમ રિવ્યૂ:

    એકવાર ક્લેઇમ સબમિટ કર્યા પછી, તે પ્લાન હેઠળના કવરેજ અનુસાર છે કે નહીં તેની ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા સમીક્ષા કરવામાં આવશે. 
  1. ક્લેઇમની મંજૂરી:

    જો ક્લેઇમ મંજૂર કરવામાં આવે છે, તો ઇન્શ્યોરન્સ પ્રદાતા પ્લાનની ખરીદી દરમિયાન નિર્ધારિત ચુકવણી કરશે. 
  1. ક્લેઇમ સમયસર સબમિટ કરવા:

    કવરેજમાં કોઈપણ વિલંબ અથવા અસ્વીકારને ટાળવા માટે સમયસર ક્લેઇમ સબમિટ કરવું મહત્વપૂર્ણ છે. તમારા કૅન્સરની સારવાર અને ક્લેઇમ સંબંધિત તમામ ડૉક્યૂમેન્ટની કૉપી તૈયાર રાખો.
રેગ્યુલર હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજથી વિપરીત, ગંભીર બીમારીઓ માટે ક્લેઇમની પ્રક્રિયા થોડી અલગ હોઈ શકે છે. પૉલિસી પ્રપોઝલ ફોર્મ પર સહી કરતાં પહેલાં ક્લેઇમની પ્રક્રિયા જાણવી જરૂરી છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો:

  1. શું કૅન્સર ઇન્શ્યોરન્સમાં કીમોથેરેપીને કવર કરવામાં આવે છે?

હા, કૅન્સર ઇન્શ્યોરન્સ પૉલિસી સામાન્ય રીતે કીમોથેરેપીને કવર કરે છે કારણ કે તે કૅન્સરની સામાન્ય સારવાર છે. *
  1. શું હું કૅન્સરની સારવાર પછી કૅન્સર ઇન્શ્યોરન્સ ખરીદી શકું છું?

સામાન્ય રીતે, ના. કૅન્સર ઇન્શ્યોરન્સ કૅન્સરના નિદાન પહેલાં કૅન્સરની સારવારના ખર્ચને કવર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, તેથી સામાન્ય રીતે જેમણે પહેલેથી જ સારવાર કરાવી લીધી છે તે લોકો માટે ઉપલબ્ધ નથી.
  1. શું કૅન્સર ઇન્શ્યોરન્સમાં રેડિયેશન થેરેપી કવર કરવામાં આવે છે?

હા, કૅન્સર ઇન્શ્યોરન્સ સામાન્ય રીતે રેડિયેશન થેરેપીને આવરી લે છે કારણ કે તે કૅન્સર માટે અન્ય એક સામાન્ય સારવાર છે. *
  1. જો કૅન્સર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલાં મને કૅન્સર થયેલ હતું, તો શું મારી સારવારને કવર કરવામાં આવશે?

ના, પહેલાંથી હોય તેવી સ્વાસ્થ્યને લગતી તકલીફો સામાન્ય રીતે કૅન્સર ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા કવર કરવામાં આવતી નથી.
  1. કૅન્સર ઇન્શ્યોરન્સ કોણ ખરીદી શકે છે?

કોઈપણ વ્યક્તિ ભારતમાં કૅન્સરના દર્દીઓ માટે હેલ્થ ઇન્શ્યોરન્સને ખરીદી શકે છે, જોકે તેના વિશે મોટેભાગે કૅન્સર થવાની વધુ સંભાવના ધરાવતા લોકોને માર્કેટિંગ કરવામાં આવે છે, જેમ કે ધૂમ્રપાન કરનાર અથવા કૅન્સરનો પારિવારિક ઇતિહાસ ધરાવતા લોકો હોય.
  1. કૅન્સર ઇન્શ્યોરન્સ સૌથી વધુ કેટલી ઉંમર સુધી ખરીદી શકાય છે?

કૅન્સર ઇન્શ્યોરન્સ ખરીદવાની વય મર્યાદા ઇન્શ્યોરન્સ પ્રદાતાના આધારે અલગ હોય છે, પરંતુ તે સામાન્ય રીતે 75 અથવા 80 વર્ષની ઉંમર સુધીના લોકો માટે ઉપલબ્ધ હોય છે.
  1. કૅન્સર ઇન્શ્યોરન્સનો ખર્ચ કેટલો થાય છે?

કૅન્સર ઇન્શ્યોરન્સનો ખર્ચ ઉંમર, સ્વાસ્થ્યની સ્થિતિ અને કવરેજની રકમ જેવા પરિબળોના આધારે અલગ હોય છે. સામાન્ય રીતે, યુવાન, સ્વસ્થ વ્યક્તિઓ માટે પ્રીમિયમ ઓછું હોય છે અને જેમ જેમ તેમની ઉંમર વધે છે અથવા પહેલાંથી કોઈ તકલીફ ધરાવે છે, તો તેમાં વધારો થાય છે. * * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે