રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
prevent e-bike fires
30 માર્ચ, 2023

ઇ-બાઇકમાં આગ લાગતી અટકાવો: તેના કારણો વિશે જાણો અને સુરક્ષિત રાઇડની ખાતરી કરવા માટે આવશ્યક ટિપ મેળવો

ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ એ પ્રદૂષણના સૌથી વધુ સંભવિત ઉકેલોમાંથી એક છે. પેટ્રોલ અને ડીઝલ વાહનોના વધુ સારા વિકલ્પ એવા ઇલેક્ટ્રિક વાહનો જ્યારે પ્રદૂષણની અસરનો સામનો કરવાની અને તેને મોટા પ્રમાણમાં ઓછી કરવાની વાત આવે, ત્યારે ઘણાં ઉપયોગી નિવડી શકે છે. જો કે, બાઇકમાં કદાપિ સમસ્યા ન ઉદ્ભવે તેમ શક્ય નથી. ઇ-બાઇક્સમાં આગ લાગવા જેવી ઘટનાઓને કારણે આ બાઇકની સુરક્ષા ચર્ચાનો વિષય બની છે. તમારી મદદથી તમારી ઇ-બાઇકને નુકસાન થવાની સ્થિતિમાં તમને વળતર મળી શકે છે ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી. * પરંતુ, આવી ઘટનાઓ શા માટે બને છે અને તેને કેવી રીતે રોકી શકાય તે સમજવું જરૂરી છે.

ઇ-બાઇકમાં શા માટે આગ લાગે છે?

ઇ-બાઇક્સને આગથી શા માટે જોખમ રહેલું છે તેના કેટલાક કારણો અહીં આપેલ છે:
  1. લિથિયમ-આયન બૅટરી

લિથિયમ-આયન બૅટરી અથવા લિ-આયન તરીકે વધુ જાણીતી બૅટરી, તે આજે ઉપયોગમાં લેવામાં આવતી બૅટરીના સૌથી સામાન્ય પ્રકારોમાંથી એક છે. આ બૅટરીનો ઉપયોગ મોબાઇલ ફોન અને લૅપટૉપ જેવા લગભગ તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં કરવામાં આવે છે. લિ-આયન બૅટરી તેમની ટકાઉક્ષમતા અને લાંબી લાઇફ સાઇકલને કારણે પસંદ કરવામાં આવે છે. જો કે, ઊંચા તાપમાનની સ્થિતિમાં તેમાં સમસ્યાઓ ઉદ્ભવતી હોવાનું પણ જાણવામાં આવ્યું છે. લિ-આયન બૅટરીમાં એક લિક્વિડનો, જે એક પ્રકારનું ઇલેક્ટ્રોલાઇટ ફ્લુઇડ છે, તેનો ઉપયોગ થાય છે. તેની અત્યંત જ્વલનશીલ પ્રકૃતિને કારણે, આ પ્રવાહી ઊંચા તાપમાને વ્યાપ પામે છે, જે બૅટરીના આયુષ્ય પર અસર કરે છે. આને કારણે બૅટરીમાં આગ લાગવાની સંભાવના પણ વધી જાય છે. બૅટરીની સમસ્યાઓને કારણે ઇ-બાઇક્સમાં આગ લાગવા પાછળનું આ એક મુખ્ય કારણ છે.
  1. ગરમીની સ્થિતિમાં રહેવું

બૅટરી ફ્લુઇડ હીટિંગની સમસ્યા ઉપરાંત, ઇ-બાઇક્સને બહારની ગરમીની પણ વધુ અસર થાય છે. ગરમ હવામાનની સ્થિતિ દરમિયાન વાહન ચલાવતી વખતે, વાહન વધુ ગરમ થાય છે, જે બૅટરીના તાપમાનને અસર કરે છે. આ કારણથી પણ બાઇકમાં આગ લાગવાની સંભાવના વધી જાય છે.
  1. ખામીયુક્ત પાર્ટ્સનો ઉપયોગ

અસલી પાર્ટ માટે વધુ ખર્ચ ન કરવો પડે તે માટે, લોકો સર્વિસિંગ દરમિયાન સસ્તા પાર્ટનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. આમાં મોટું જોખમ રહેલું છે, કારણ કે સસ્તા પાર્ટ ઘણી વખત ખામીયુક્ત હોય છે. જૂના પાર્ટને બદલે જો કોઈ ખામીયુક્ત પાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે, તો બાઇકમાં આગ લાગવાની શક્યતા વધુ રહેલી છે. ખામીયુક્ત પાર્ટને કારણે આંતરિક શોર્ટ સર્કિટ અથવા ફ્રિક્શન ઉદ્ભવી શકે છે, જેને કારણે તમારી બાઇકમાં આગ લાગી શકે છે. ઘણીવાર, ગેરેજના માલિકો દ્વારા પણ ખામીયુક્ત પાર્ટ લગાવવામાં આવે છે, જેને કારણે મોટી દુર્ઘટના સંભવી શકે છે, જેને કારણે માત્ર તમારી બાઇકને જ નહીં, પરંતુ તમને પણ ઇજા થઈ શકે છે.

આવી ઘટનાઓને રોકવા માટેના સૂચનો

નીચે જણાવેલ સૂચનો વડે, તમે આગને કારણે તમારી બાઇકને નુકસાન થવાની સંભાવના ઓછી કરી શકો છો:
  1. બાઇકની સર્વિસ અધિકૃત ગેરેજમાં કરાવો

તમને સર્વિસ અને પાર્ટની કિંમત વધારે લાગી શકે છે, પરંતુ તે બાઇકની સુરક્ષા અને જાળવણીની ખાતરી આપે છે. જો તમે અનધિકૃત સર્વિસ ગેરેજ પર તમારી બાઇકને રિપેર કરાવો છો, તો નાંખવામાં આવેલ પાર્ટ અસલી ન હોય તેમ બની શકે છે. અધિકૃત ગેરેજ પર હંમેશા અસલ પાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત, કર્મચારીઓને તમારી બ્રાન્ડની બાઇકને રિપેર કરવા માટે તાલીમ આપવામાં આવે છે, જેને કારણે સારી ગુણવત્તાની સર્વિસ મળી રહે છે.
  1. મૅન્યુઅલમાં જણાવ્યા મુજબ ચાર્જિંગ

ઘણા ઇ-બાઇક વપરાશકર્તાઓ રાત્રે તેમની બાઇક ચાર્જ કરતા હોય છે. આમાં બૅટરી તેની મર્યાદાથી વધુ ચાર્જ થવાનું જોખમ રહેલું છે. આમાં થવાથી બૅટરીની રચનાને નુકસાન થવાની સાથે સાથે, ચાર્જિંગ દરમિયાન અથવા બાઇકનો ઉપયોગ કરતી વખતે બૅટરીમાં આગ લાગવાનું જોખમ પણ વધી જાય છે. આવી ઘટનાઓની શક્યતા ઘટાડવા માટે, મૅન્યુઅલમાં આપેલી ચાર્જિંગ સૂચનાઓને અનુસરો. જો જરૂરી હોય, તો તમે તમારા ઇ-બાઇક ઉત્પાદકના ગ્રાહક સેવા વિભાગનો પણ સંપર્ક કરી શકો છો.
  1. અત્યંત ગરમીમાં બાઇકનો ઉપયોગ કરવાનું ટાળો

અગાઉ જણાવ્યા મુજબ, બહારની ગરમીને કારણે બાઇકની સપાટી ગરમ થઈ જાય છે. આને કારણે આગની શક્યતા વધી જાય છે. જો તમે તાપમાન વધુ ન હોય તેવા સમયે મુસાફરી કરવાનો પ્લાન કરી શકો, તો આવી ઘટના ટાળી શકાય છે. આ ખાસ કરીને ઉનાળા દરમિયાન ભલામણ કરવામાં આવે છે, કે જ્યારે બપોર દરમિયાન તાપમાન વધારે હોય છે.
  1. દહનશીલ વસ્તુઓ સ્ટોર કરશો નહીં

ઇ-બાઇક્સની બૅટરીઓમાં દહનશીલ વસ્તુઓના સંપર્કમાં આવવાને કારણે આગ લાગવી એ એક કારણ છે. જો તમે તમારી બાઇકના બૂટ સ્પેસમાં કેરોસિન, લાઇટર ફ્લુઇડ અથવા એરોસોલ જેવા કોઈપણ જ્વલનશીલ પ્રવાહી મૂકો છો, તો ઊંચા તાપમાને તેમાં આગ લાગી શકે છે. પરિણામે બૅટરીને પણ નુકસાન પહોંચે છે. તમારી બાઇકના બૂટ સ્પેસમાં આવી કોઈપણ વસ્તુ ન મૂકવી લાભદાયક રહેશે.

તારણ

આ સૂચનોની મદદથી તમે આગને કારણે નુકસાન થવાના જોખમ વિના તમારી ઇ-બાઇકનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો છો. આવી કોઈપણ ઘટનાઓ માટે તૈયાર રહેવા માટે તમે ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી વડે તૈયાર રહી શકો છો, જે આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે અને નુકસાન થાય તો તમને વળતર આપે છે . * * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે