રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
The surprising Health Benefits Of Roza
10 મે, 2019

રમજાન (રોઝા) દરમિયાન ઉપવાસ કરવાના ફાયદાઓ શું છે?

રામદાન (અથવા રમજાન) ઇસ્લામિક કેલેન્ડરમાં સૌથી પવિત્ર મહિના છે, જે વિશ્વભરમાં મુસલમાનો દ્વારા ઉજવવામાં આવે છે. આ વર્ષે, રમજાન 05 મે 2019 થી શરૂ થશે અને 04 જૂન 2019 ના રોજ સમાપ્ત થશે. આ પવિત્ર મહિનાની ઉજવણીમાં ઉપવાસ, પ્રાર્થના, ધુમ્રપાન અને દારૂનો ત્યાગ તથા સૂર્યાસ્ત પછી ખાવાનો સમાવેશ થાય છે. દિવસમાં ઉપવાસ અને પાંચ વખત પ્રાર્થના કરવાનું રમજાનના આ પવિત્ર મહિનામાં વિશેષ મહત્વ છે. ઉપવાસ એ રમજાન દરમિયાન ભગવાનની ઉચ્ચતમ પ્રકારની પૂજા અને સમર્પણમાંથી એક માનવામાં આવે છે. ઉપરાંત, સમગ્ર વિશ્વમાં મુસ્લિમો દ્વારા ઉપવાસ કરવામાં આવે છે, જે તેમના ભાઈચારાના બંધનને મજબૂત કરવા માટે માનવામાં આવે છે. જ્યારે બાળકો, બીમાર લોકો અને ગર્ભવતી મહિલાઓને ઉપવાસમાંથી મુક્તિ આપવામાં આવી છે, ત્યારે અન્ય તમામ પુખ્ત વયના લોકોને અલ્લાહ પાસેથી આશીર્વાદ અને ક્ષમા મેળવવા માટે ઉપવાસ કરવું ફરજિયાત છે. મુસલમાનો આ 30 દિવસ દરમિયાન અવિરત ઉપવાસ કરતા જોવા મળે છે. તેઓ સામાન્ય રીતે રમજાન દરમિયાન દિવસમાં 3 સમય ભોજન કરે છે - સુહુર (સુર્યોદય પહેલાંનું ભોજન), ઇફ્તાર (ઉપવાસ તોડવા માટે લેવામાં આવતું ભોજન) અને રાત્રિ ભોજન. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પ્રથાના ફાયદાઓ શું છે? રમજાનના પવિત્ર મહિના દરમિયાન ઉપવાસના કરવાના કેટલાક લાભો અહીં આપેલ છે:
  • રમજાન દરમિયાન ઉપવાસ ઊંઘ અને તેને સંબંધિત વિકારોમાં સુધારો કરવામાં લાભદાયક છે
  • તેને કેન્સરના કેટલાક પ્રકારના જોખમને ઘટાડવાની સારી રીત તરીકે પણ જોવામાં આવે છે
  • આ પવિત્ર મહિના દરમિયાન તમારી શારીરિક તંદુરસ્તીમાં સુધારો કરવા માટે ઉપવાસ કરવાનું કહેવામાં આવે છે
  • નિષ્ણાતોના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રમજાન દરમિયાન ઉપવાસ કરવાથી હતાશા અને ચિંતામાં ઘટાડો થવાથી તમારા માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીમાં પણ સુધારો થઈ શકે છે
  • ખાવા, પીવા અને ધૂમ્રપાન કરવા પર પણ સ્વ-પ્રતિબંધ લગાવવાથી ઉદારતા, દયા જેવા ગુણો વિકસિત થતા હોવાનું કહેવામાં આવે છે અને તે ક્રોધ અને ઈર્ષ્યા જેવા નકારાત્મક ભાવનાઓને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે
  • હૃદયના વિવિધ રોગો, ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને સ્થૂળતા સંબંધિત સમસ્યાઓને ઘટાડવામાં તૂટક તૂટક ઉપવાસ પણ ફાયદાકારક છે
  • હળવા ભોજન અને અવલોકન કરવાથી તમારા શરીરને સાફ અને ડિટૉક્સિફાઇ કરવામાં મદદ મળે છે
અમે તમને આ પવિત્ર મહિનામાં ઉપવાસ કરતી વખતે તમારી હેલ્થનું ધ્યાન રાખવાની ભલામણ કરીએ છીએ. જો તમે આ ઉપવાસ કરવાનું વિચારતા હોવ, તો પોતાને ફિટ રાખવા માટે તમારે શરીરમાં સપ્રમાણ પ્રવાહી લેતા રહેવું જોઈએ, કેફીનયુક્ત પીણાં પીવાનું ટાળવું જોઈએ, સ્વાસ્થ્યવર્ધક અને સારી રીતે સંતુલિત ભોજન લેવું જોઈએ અને જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. વધુ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે તમારા અને તમારા પરિવાર માટે યોગ્ય મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો. આપને રમજાનની શુભકામનાઓ!

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે