આજના સમયમાં હેલ્થ ઇન્શ્યોરન્સ હવે શોખની વસ્તુ નથી. ધીમે ધીમે તેમાં રોકાણ કરવું એક સામાન્ય પ્રથા બની રહી છે. આ ઉપરાંત, વધુ ને વધુ લોકો તેમની આર્થિક સુરક્ષા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ પસંદ કરી રહ્યા છે. વધતા જતા તબીબી ખર્ચને ધ્યાનમાં લેતાં, તબીબી જરૂરિયાત એ પરિવાર માટે આર્થિક તણાવની સાથે માનસિક તણાવ પણ લાવે છે. જો કે, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ વધતા તબીબી ખર્ચને પહોંચી વળવા માટેની એક સરસ રીત છે. પરંતુ જ્યારે તમે
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનવિશે વિચારો છો, ત્યારે ઘણીવાર એવું માનવામાં આવે છે કે એક દિવસથી વધુ સમય માટે હૉસ્પિટલાઇઝેશન એક પૂર્વશરત છે. તબીબી ટેક્નોલોજીના વિકાસ સાથે, લાંબા સમય સુધી હૉસ્પિટલાઇઝેશનની જરૂર પડે તેવી તમામ સારવારો માટે હવે તે જરૂરી નથી. હવેના સમયમાં હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર વિના અને એક દિવસથી ઓછા સમયમાં ઘણી સારવારો થઈ શકે છે. આ સારવારોને ડે-કેર સારવાર કહેવામાં આવે છે.
ડે-કેર પ્રક્રિયાઓ શું છે?
ડે-કેર પ્રક્રિયા એ એવી તબીબી સારવાર છે જેમાં હૉસ્પિટલાઇઝેશનની જરૂર નથી અને તેને 24 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરી શકાય છે. તબીબી વિજ્ઞાનના વિકાસને કારણે, હવે અગાઉની તુલનામાં ટૂંકા સમયગાળામાં ઘણી બિમારીઓની સારવાર કરવી શક્ય છે. સામાન્ય રીતે, ડે-કેર પ્રક્રિયા માટે 2 કલાકથી 24 કલાક કરતાં ઓછો સમય લાગતો હોય છે. અને આ પ્રક્રિયાઓ ઝડપી હોય છે, પરંતુ તેની સારવારનો ખર્ચ વધુ હોય છે અને તેથી તેને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કવર કરવાની જરૂર છે. મોતિયાનું ઓપરેશન, રેડિયોથેરેપી, કીમોથેરેપી, સેપ્ટોપ્લાસ્ટી, ડાયાલિસિસ, એન્જિયોપ્લાસ્ટી, ટોન્સિલેક્ટોમી, લિથોટ્રિપ્સી, હાઇડ્રોસેલ, પાઇલ્સ અને ફિસ્ટુલા, સાઇનસાઇટિસ, એપેન્ડેક્ટોમી, લિવર એસ્પિરેશન, કોલોનોસ્કોપી, ઈએનટીને લગતી તથા દાંતની કેટલીક તકલીફો એવી કેટલીક સારવાર છે જે ડે-કેર પ્રક્રિયાઓના ભાગ રૂપે કવર કરવામાં આવે છે. જ્યારે
વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સની ખરીદી કરવામાં આવે, ત્યારે આ કવરેજને ધ્યાનમાં રાખવા જરૂરી છે કારણ કે વધતી ઉંમર સાથે તબીબી સારવારની પણ વધુ જરૂર પડતી હોય છે. ડે-કેર પ્રક્રિયાઓ સિવાય, અન્ય એક હેલ્થ ઇન્શ્યોરન્સ સુવિધા છે જે સારવાર માટે આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે જેમાં સારવાર હૉસ્પિટલમાં કરવામાં આવતી નથી. તેને ડોમિસિલિયરી હૉસ્પિટલાઇઝેશન કહેવામાં આવે છે. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
ડોમિસિલરી હૉસ્પિટલાઇઝેશન શું છે?
જ્યારે કોઈ એવી તકલીફ કે જેને કારણે તમે હૉસ્પિટલમાં દાખલ થઈ શકતા નથી, ત્યારે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની આ સુવિધા હેઠળ તમે તમારા ઘરે સારવારનો લાભ લઈ શકો છો. જો બીમારી ગંભીર હોય, અને દર્દી માટે હલનચલન કરવું મુશ્કેલ હોય તેવી સ્થિતિમાં તેનો લાભ લઈ શકાય છે. વૈકલ્પિક રીતે, જ્યારે હૉસ્પિટલમાં બેડની અછત હોય, ત્યારે ડોમિસિલિયરી કવર કામમાં આવી શકે છે, કારણ કે ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ તમારા ઘર પર આવી સારવારને કવર કરવામાં આવે છે. આ સુવિધા હેઠળ 72 કલાકથી વધુ સમયગાળા સુધીની સારવાર શામેલ છે, જો કે, વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે તે અલગ હોઈ શકે છે. ઘણી વખત લકવો અથવા ફ્રેક્ચર જેવી તકલીફોને કારણે કોઈ વ્યક્તિને હૉસ્પિટલ સુધી લઈ જઈ શકાતી નથી. તેવી સ્થિતિમાં ડોમિસિલિયરી કવર મદદે આવે છે. યાદ રાખવા જેવી એક મહત્વપૂર્ણ બાબત એ છે કે ડોમિસિલિયરી હૉસ્પિટલાઇઝેશન વિશિષ્ટ પ્રકારનું હોય છે અને તેના કવરેજમાં હોમિયોપેથી અથવા આયુર્વેદ જેવી વૈકલ્પિક સારવારો આવરી લેવાતી નથી. ડોમિસિલિયરી કવર સાથેની પૉલિસી ખરીદતી વખતે, યાદ રાખો કે તે શ્રેષ્ઠ કવરેજ ત્યારે આપશે જ્યારે તમે સાથે ખરીદશો તમારા
પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન. જોકે, ધ્યાનમાં રાખો કે તમારે પૉલિસીના ડૉક્યૂમેન્ટ કાળજીપૂર્વક વાંચવા જોઈએ અને ત્યારબાદ તમે તેનો લાભ લઈ શકશો. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
સારાંશ
હવે હેલ્થ ઇન્શ્યોરન્સ એટલે હૉસ્પિટલાઇઝેશનની જરૂર, એવો તેનો અર્થ રહ્યો નથી. ઉપર ઉલ્લેખિત વિવિધ પ્રકારની સારવાર છે જે હૉસ્પિટલની મુલાકાત વિના તબીબી સારવાર મેળવવામાં મદદ કરે છે. ઉપરોક્ત ડે-કેર પ્રક્રિયાઓ અને ડોમિસિલિયરી હૉસ્પિટલાઇઝેશન ઉપરાંત, તમે આઉટપેશન્ટ વિભાગમાં જરૂરી સારવાર તેમજ ડેન્ટલ પ્રક્રિયાઓ માટે ઇન્શ્યોરન્સ કંપની કેવી રીતે કાર્ય કરે છે તે પણ ચકાસી શકો છો. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો