રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
What Is Sum Insured In Health Insurance?
30 માર્ચ, 2021

હેલ્થ ઇન્શ્યોરન્સમાં વીમાકૃત રકમ શું છે?

ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં શરતો હોઈ શકે છે જે સરળ દેખાઈ શકે છે પરંતુ તેનો અર્થ જટિલ હોઈ શકે છે, અને પછી કોઈપણ ભ્રમને ટાળવા માટે આ શરતોના યોગ્ય સારને સમજવું જરૂરી છે. સંભવિત પૉલિસીધારકને જવાબ આપવાના પ્રારંભિક પ્રશ્નોમાંથી એક છે કે તેમને કેટલી કવરેજ અથવા વીમાકૃત રકમની જરૂર છે? પરંતુ તેના માટે, પૉલિસી લેનારના મનમાં ઉદ્ભવતો પ્રશ્ન એ છે કે હેલ્થ ઇન્શ્યોરન્સમાં વીમાકૃત રકમ શું છે? ઉપરાંત, આપણે કોઈપણ વિગતોમાં મેળવતા પહેલાં વીમાકૃત રકમનો અર્થ સમજવાની જરૂર છે. વીમાકૃત રકમનો અર્થ કોઈપણ નુકસાન અથવા ખોટના કિસ્સામાં ઇન્શ્યોરન્સ કંપની પૉલિસીધારકને ચૂકવી શકે તેવી મહત્તમ રકમને વીમાકૃત રકમ કહેવામાં આવશે. કેટલીક વખત, લોકો તેને હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળની મહત્તમ કવરેજ પણ કહે છે. તેથી અમે કહી શકીએ છીએ કે જો તમને કોઈપણ કારણસર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતા કંપની તમને વીમાકૃત રકમ સુધીની સંપૂર્ણ રકમ ચૂકવશે, જો તે લાભમાંથી સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવતી નથી તો. જો વાસ્તવિક ખર્ચ વીમાકૃત રકમથી વધુ હોય, તો વધારાની રકમ પૉલિસીધારકે ચૂકવવી પડશે. ઉદાહરણ: ધારો કે શ્રી રાહુલ પાસે ₹5 લાખની વીમાકૃત રકમ સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી છે. હવે, તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ₹3.8 લાખના બિલનો ક્લેઇમ કરે છે. ક્લેઇમ મંજૂર થઈ જાય છે. હવે ફરીથી, કોઈ અન્ય કારણોસર, તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, અને આ વખતે બિલની રકમ ₹2 લાખ છે. હવે ઇન્શ્યોરન્સ કંપની માત્ર ₹1.2 લાખની ચુકવણી કરશે, અને બાકીની રકમ (બૅલેન્સ) શ્રી રાહુલ પોતે ચુકવશે. પ્રીમિયમની રકમ પર વીમાકૃત રકમની શું અસર થાય છે? વીમાકૃત રકમ વર્ષ દરમિયાન કોઈપણ અણધારી ઘટનાના કિસ્સામાં કવર કરી શકાય તેવા મહત્તમ નુકસાનની સીમા છે. વીમાકૃત રકમ જેટલી વધુ હોય, ક્લેઇમ કરવામાં આવે તેવી સ્થિતિમાં ઇન્શ્યોરન્સ કંપનીએ તેટલી વધારે રકમ ચૂકવવી પડે છે. તેથી, જેટલી વધારે વીમાકૃત રકમ પંસદ કરવામાં તેટલો જ વધારો ઇન્શ્યોરન્સ પ્રીમિયમ માં થાય છે. વીમાકૃત રકમ અને વીમાકૃત રકમ વચ્ચેનો તફાવત. પૉલિસીનો ખૂબ જ તકનીકી ભાગ વીમાની રકમ (સમ એશ્યોર્ડ) અને વીમાકૃત રકમ (સમ ઇન્શ્યોર્ડ) વચ્ચેનો તફાવત છે. હવે, આ શબ્દો એક જેવા દેખાઈ છે અને એક જેવા જ લાગે છે પરંતુ વાસ્તવિકતામાં બંન્ને સંપૂર્ણપણે અલગ છે. વીમાની રકમ એ નિશ્ચિત રકમ છે જે કોઈ ચોક્કસ ઘટના થવા પર અથવા ન થવા પર ચૂકવવામાં આવશે. બીજી તરફ, કોઈ ચોક્કસ ઇવેન્ટના કિસ્સામાં વીમાકૃત રકમની મહત્તમ રકમ ચૂકવવામાં આવશે. વીમાની રકમ સામાન્ય રીતે લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં જોવામાં મળે છે, જ્યારે વીમાકૃત રકમ મુખ્યત્વે લાઇફ ઇન્શ્યોરન્સ સિવાય અન્ય પૉલિસીઓમાં જોવામાં આવે છે. યોગ્ય વીમાકૃત રકમનું મહત્વ તે તમને સુરક્ષાની ભાવના પ્રદાન કરે છે કે જો આજે તમારી સાથે કંઈક થાય, તો પણ તમારી આજીવન બચત સારવારમાં સમાપ્ત થશે નહીં, અને તમારી પાસે જીવનના અંતિમ તબક્કામાં તમારી પાસે થોડા પૈસા બચશે. નાણાંકીય સુરક્ષાની ભાવના તમને મનની શાંતિ આપે છે અને તણાવને ઘટાડે છે. આજે આમ પણ લોકો વિવિધ બાબતોના સતત દબાણ હેઠળ રહેતા હોય છે ત્યારે થોડો બોજ ઘટે એ પણ સારું છે. તમે ફેમિલી ફ્લોટર પૉલિસી કરી હોય તેવા કિસ્સાઓમાં પર્યાપ્ત વીમાકૃત રકમ સૌથી મહત્વપૂર્ણ છે. જો એક જ પરિવારના બહુવિધ સભ્યો સાથે કંઈક થાય છે, તો આ સમય પરિવારની અંદર નાણાંકીય દ્રષ્ટિએ નિર્ણાયક સાબિત થઈ શકે છે. યોગ્ય વીમાકૃત રકમ કેવી રીતે પસંદ કરવી? ઉંમર પરિબળ વીમાકૃત રકમ નક્કી કરવામાં ઉંમર નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. ઉંમર વધવાની સાથે બીમારી આવવાની સંભાવના વધુ હોય છે, જે વધુ વીમાકૃત રકમની જરૂરિયાતમાં વધારો કરે છે. તેથી, અમે કહી શકીએ છીએ કે જેટલું વહેલું શરૂ કરો, તેટલું સારું છે. વર્તમાન સ્વાસ્થ્ય સ્થિતિ તમારે પોતાના તેમજ તમારા પરિવારના નજીકના સભ્યોનાં તબીબી ઇતિહાસ જોવાની જરૂર છે અને કેટલી વીમાકૃત રકમ લેવી તેનો નિર્ણય લેવાની જરૂર છે પહેલેથી હાજર બીમારીઓ તમારા નજીકના પરિવાર દ્વારા સામનો કરવો પડે છે તે તમને વહેલા અથવા પછીના સમયમાં તે સ્થિતિમાં આવવાની ઉચ્ચ તક પર મૂકે છે. લાઇફસ્ટાઇલ આપણને બધાને હવે કંઈક અંશે ખબર પડી ગઈ છે કે તણાવ અન્ય કંઈપણ કરતાં ઘણું વધારે નુકસાન પહોંચાડે છે. તેના સિવાય, ઘણી નોકરીઓમાં ઉચ્ચ તણાવવાળા કામનો સમાવેશ થાય છે જ્યારે અન્ય બાબત હોય છે જે તમને કોઈ ચોક્કસ બીમારી થવાનું જોખમ ઊભું કરી શકે છે. વીમાકૃત રકમ નક્કી કરતી વખતે આ તમામ બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે. વારંવાર પૂછાતા પ્રશ્નો:
  1. શું નુકસાનની રકમ જો વીમાકૃત રકમની અંદર હોય તો શું ઇન્શ્યોરન્સ કંપની તમને તેનાથી વધુ રકમ ચૂકવશે? હેલ્થ ઇન્શ્યોરન્સની પૉલિસી ક્ષતિપૂર્તિના સિદ્ધાંત પર કામ કરે છે. આનો અર્થ એ છે કે ઇન્શ્યોરન્સ કંપની પૉલિસીધારક પર કોઈપણ નુકસાન અથવા ખોટની ભરપાઈની જવાબદારી છે. એટલે, પૉલિસીધારક આ પૉલિસીથી કોઈપણ લાભ મેળવવા માટે હકદાર નથી. આ પૉલિસીનો હેતુ પૉલિસીધારકના માથેથી તબીબી ખર્ચ અને હૉસ્પિટલાઇઝેશનના ખર્ચનો બોજ ઘટાડવાનો છે.
  2. જો કોઈ વ્યક્તિ ફિઝિકલ પૉલિસીના બદલે ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરે તો શું કોઈ ફેર પડે છે? તમારી પાસે ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ અથવા ઑફલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ હોય, તેમાં પૉલિસીની વીમાકૃત રકમ અથવા અન્ય બાબત પર કોઈ ફેર પડતો નથી.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે