• search-icon
  • hamburger-icon

ટ્રાવેલ ઇન્શ્યોરન્સને કઈ તબીબી પરિસ્થિતિઓ અસર કરે છે? શ્રેષ્ઠ પ્લાન પસંદ કરવા માટેના સૂચનો

  • Travel Blog

  • 24 જાન્યુઆરી 2025

  • 72 Viewed

Contents

  • ટ્રાવેલ ઇન્શ્યોરન્સને કઈ તબીબી પરિસ્થિતિઓ અસર કરે છે?
  • શું તમારે પહેલાંથી હોય તેવી સ્વાસ્થ્યને લગતી તકલીફો વિશે તમારા ઇન્શ્યોરરને જાણ કરવી જોઈએ?
  • સ્વાસ્થ્યને લગતી તકલીફો માટે કયો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શ્રેષ્ઠ છે?
  • તારણ
  • વારંવાર પૂછાતા પ્રશ્નો

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ નિર્ધારિત કરવામાં મેડિકલ સમસ્યાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે પહેલાંથી હોય તેવી સમસ્યા હોય કે અનપેક્ષિત બીમારી હોય, આ પરિબળો તમારી પૉલિસીને કેવી રીતે અસર કરે છે તે જાણવું જરૂરી છે. યોગ્ય સમજણ મુસાફરોને યોગ્ય પ્લાન પસંદ કરવામાં મદદ કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે તેઓ તેમની મુસાફરી દરમિયાન પર્યાપ્ત રીતે સુરક્ષિત રહે. આ માર્ગદર્શિકા સમજાવે છે કે મેડિકલ સમસ્યાઓ ટ્રાવેલ ઇન્શ્યોરન્સને કેવી રીતે અસર કરે છે અને શ્રેષ્ઠ કવરેજને સુરક્ષિત કરવા માટેની ટિપ્સ પ્રદાન કરે છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હોવાના ઘણા લાભો છે. આવા પ્લાન હેઠળ કવર કરવામાં આવતું હોય છે:

  1. અકસ્માત અથવા અચાનક થતી બીમારીઓ જેવી અણધારી સ્થિતિઓથી ઉદ્ભવતા તબીબી ખર્ચ.
  2. ફ્લાઇટ, હોટલ અને વચ્ચેના અન્ય રોકાણના બુકિંગનું કૅન્સલેશન.
  3. સામાન ખોવાઈ જવો અથવા તેને નુકસાન થવું.
  4. કોઈ પણ કારણોસર રોકડની તાત્કાલિક જરૂર.

જો કે, પહેલાંથી હોય તેવી તબીબી સમસ્યાઓ અનુસાર તમને મળી શકવા યોગ્ય સુરક્ષામાં ફેર પડી શકે છે, પછી ભલે તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સને કઈ તબીબી પરિસ્થિતિઓ અસર કરે છે?

પહેલાંથી હાજર તબીબી પરિસ્થિતિઓમાં એવી બીમારીઓ, રોગ અથવા સ્વાસ્થ્યને લગતાં જોખમોનો સમાવેશ થાય છે કે જેને કારણે ટૂંક સમયમાં તબીબી ઇમરજન્સી ઉદ્ભવી શકે છે. સામાન્ય રીતે, નીચે જણાવેલ તકલીફોને પહેલાંથી હોય તેવી તબીબી સમસ્યાઓ માનવામાં આવે છે:

  1. કૅન્સર, એચઆઇવી, એઇડ્સ વગેરે જેવા જીવલેણ રોગ.
  2. તાજેતરમાં કરવામાં આવેલ અંગ પ્રત્યારોપણ અથવા સર્જરી.
  3. એવી તબીબી સમસ્યાઓ જેને કારણે ટૂંક સમયમાં જ હૉસ્પિટલમાં દાખલ થવાની અથવા સર્જરીની જરૂર પડી શકે છે.
  4. એવી તકલીફો કે જેને માટે કોઈ નિષ્ણાત ડૉક્ટરની નિયમિત મુલાકાત લેવાની જરૂર હોય.

It is important to understand what medical conditions affect travel insurance. The pre-existing medical condition can be of any nature – you know about it, you do not know about it, have undergone a curative procedure for it, or plan to go for a surgery or curative procedure for it. Your insurer would try to understand the risk of such an emergency getting escalated during your travel, increasing the medical expenses and the discomfort for your group or your family while they are travelling. Also Read: What Is The Role Of Medical History In Travel Insurance?

શું તમારે પહેલાંથી હોય તેવી સ્વાસ્થ્યને લગતી તકલીફો વિશે તમારા ઇન્શ્યોરરને જાણ કરવી જોઈએ?

એનો ટૂંકમાં જવાબ છે - હા, તમારે હાલની સ્વાસ્થ્યને લગતી તકલીફો વિશે તમારા ઇન્શ્યોરરને જાણ કરવી જોઈએ. આ શા માટે જરૂરી છે તે સમજવા માટે અહીં એક નાનું ઉદાહરણ આપેલ છે: પૂજાએ તાજેતરમાં જ બેંકર તરીકે તેના કાર્યનું પહેલું વર્ષ પૂર્ણ કર્યું. તેણે પોતાના માતાપિતાને પેરિસની મુસાફરી કરાવવાના પોતાના બાળપણના વિચારને અમલમાં મૂકવા માટે પૂરતી બચત કરી હતી. તેણે ટિકિટ બુક કરાવીને તેના પરિવાર માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદ્યો. દુર્ભાગ્યે, મુસાફરી દરમિયાન તેના પિતાને સ્ટ્રોક આવ્યો અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. જોકે તેઓ સાજા થઈ ગયા હતા, પરંતુ આ ઘટનાને કારણે મુસાફરીના ખર્ચમાં અને પરિવારની ચિંતામાં ઉમેરો થયો હતો. ત્યારબાદ, પૂજાએ ક્લેઇમ દાખલ કર્યો હતો, પરંતુ તેમનો ક્લેઇમ નકારવામાં આવ્યો હતો અને તે જાણીને તેને આઘાત લાગ્યો હતો. ત્યારબાદ, તેને જાણવા મળ્યું કે માત્ર થોડા મહિના પહેલાં જ તેના પિતાને હળવો એટેક આવેલ હતો - એક એવી હકીકત કે જેની તેના માતાપિતાએ તેને જાણ કરી ન હતી. આવી ઘટનાઓ તમારી કલ્પના કરતાં વધુ સામાન્ય રીતે બનતી હોય છે. તમારા ઇન્શ્યોરર દ્વારા પ્રત્યેક અરજદારની પહેલાની તબીબી સ્થિતિનું સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં આવશે, ખાસ કરીને છેલ્લા 2 થી 3 મહિનાના તાજેતરના તબીબી ઇતિહાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. હવે, આ સ્થિતિ માટે પૂજાનો કોઈ દોષ ન હતો. પરંતુ, તેને અને તેના પરિવારને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનની પૉલિસીઓ વિશે જાણ હોવી જોઈતી હતી. જો તેને પહેલાંથી હાજર તબીબી સ્થિતિ વિશે જાણ હોત, તો તેઓ વધુ માહિતીપૂર્ણ નિર્ણય લઈ શક્યા હોત:

  1. તેમના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે પોતાના પિતા માટે સુરક્ષા પ્રદાન કરતાં ઍડ-ઑન અથવા રાઇડરને લેવું.
  2. થોડા મહિના રાહ જોવી અને તેમના પિતાને સંપૂર્ણ સ્વસ્થ થવા દેવા. અને બાદમાં તે તબીબી રીતે સ્વસ્થ હોય અને સ્વાસ્થ્યને લગતું કોઈપણ જોખમ ન હોય તે યોગ્ય તબીબી પરીક્ષણો દ્વારા ખાતરી કર્યા બાદ મુસાફરી કરવી.
  3. સ્વાસ્થ્યને લગતી કઈ તકલીફો માટે કયો મેડિકલ ઇન્શ્યોરન્સ શ્રેષ્ઠ છે તે અંગે તેઓ વધુ તપાસ કરી શક્યા હોત? આમ ન થાય તે સુનિશ્ચિત કરવાની એક સરળ રીત છે, તમામ પ્રાથમિક સમાવિષ્ટ બાબતોને ધ્યાનમાં રાખીને વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ અથવા ટ્રાવેલ ઇન્શ્યોરન્સની તુલના કરવી અને ત્યારબાદ જ તેની ખરીદી કરવી.

સ્વાસ્થ્યને લગતી તકલીફો માટે કયો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શ્રેષ્ઠ છે?

તમારી પહેલાંથી હોય તેવી તબીબી સમસ્યાઓની જાણ તમારા ઇન્શ્યોરરને શરૂઆતમાં જ કરવી એ મોટા પડકાર જેવુ લાગી શકે છે. શું તેને કારણે તમારી અરજીને તરત જ અસ્વીકાર કરવામાં નહીં આવે? ના, ઇન્શ્યોરન્સ પ્લાન આ રીતે કામ કરતા નથી. તમારે બજાજ આલિયાન્ઝના સલાહકાર સાથે વાત કરવી જોઈએ. તમને જાણવા મળશે:

  1. એવી પૉલિસીઓ, જેના હેઠળ પહેલાંથી હોય તેવી તબીબી સમસ્યાઓને કવર કરતા ઍડ-ઑન મેળવી શકાય.
  2. વરિષ્ઠ નાગરિકો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ: વૃદ્ધ લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ખાસ કરીને ડિઝાઇન કરેલ પ્લાન.
  3. વિવિધ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા સંભવિત તબીબી ખર્ચને ઘટાડવાના અથવા ટ્રિપની રાહ જોવા જેવા વૈકલ્પિક માર્ગો.

Make a note that for any medical emergency that is not attributable to a pre-existing condition, you will receive the disbursement as per the insurance policy. For instance, if Pooja's father had unfortunately been through an accident and dislocated his shoulder, he could’ve reasonably expected the insurance policy to cover his expenses. Also Read: Understanding The Basics About Long Term Travel Insurance Plans

તારણ

Medical conditions, especially pre-existing ones, significantly impact travel insurance coverage. Informing your insurer about these conditions is crucial to avoid claim rejections. Policies like those from Bajaj Allianz offer add-ons for pre-existing conditions, senior citizen-specific plans, and alternatives to manage medical expenses. Travelers should thoroughly research and compare plans, considering inclusions and exclusions, to ensure comprehensive coverage. Proactive disclosure and informed decision-making guarantee a stress-free journey with adequate protection against medical emergencies.

વારંવાર પૂછાતા પ્રશ્નો

1. શું તમારે ડૉક્યૂમેન્ટેશન પૂર્ણ થાય તે પહેલાં તમારા ઇન્શ્યોરરને પહેલાંથી હોય તેવી તબીબી સમસ્યાઓની જાણ કરવી જોઈએ?

હા. તમારે તબીબી સમસ્યાઓની વિગતવાર જાણ કરવી જોઈએ અને ડૉક્યૂમેન્ટેશન આપતા પહેલાં સંબંધિત રિપોર્ટ પ્રદાન કરવા જોઈએ. જો તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન પણ ખરીદો છો તો પણ શું બાકાત રાખવામાં આવે છે તેની નોંધ કરો.

2. જો તમે પહેલાંથી હોય તેવી તબીબી સમસ્યાઓ ધરાવો છો, તો પણ તમને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન મળી શકે છે?

હા. સમર્પિત વિકલ્પો અથવા ઍડ-ઑન દ્વારા પહેલાંથી હોય તેવી તબીબી સમસ્યાઓ સાથે પણ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન મેળવી શકાય છે. તેને સમયસર જાહેર કરો, ત્યાર બાદ ઇન્શ્યોરન્સ સલાહકાર દ્વારા તમને આગળ માર્ગદર્શન આપવામાં આવશે.

3. જો તમે તમારી પહેલાંથી હોય તેવી તબીબી સમસ્યાઓ જાહેર કરી હોય, તો પણ તમારો ક્લેઇમ નકારી શકાય છે?

હા. ક્લેઇમ નકારવાના અન્ય ઘણા કારણો હોઈ શકે છે. તેને અગાઉથી જાહેર કરવાથી તમારી પાસે ઇમરજન્સીમાં જરૂર સમયે ઍડ-ઑન અથવા બેકઅપ મળી શકે છે.

ડિજિટલ રીત અપનાવો

Download Caringly Yours App!

  • appstore
  • playstore
godigi-bg-img