ભારતના ગૃહ મંત્રાલય દ્વારા, વિદેશ જઈ રહેલા ભારતીય નાગરિકો માટે ડિપાર્ચર અથવા એમ્બાર્કેશન કાર્ડ ભરવાની પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે લાગુ થવાની તારીખ છે 1
લી જુલાઈ 2017. સરકારે 2 માર્ચ
nd 2014 ના રોજ જે કર્યું હતું તેના જેવું છે, જ્યારે તેઓએ વિદેશથી ભારત આવી રહેલા ભારતીયો માટે આગમન અથવા ડિસેમ્બાર્કેશન કાર્ડ ભરવાનો નિયમ દૂર કર્યો હતો. તો, એમ્બાર્કેશન ફોર્મ શું છે? આ એક ફોર્મ છે જે દરેક મુસાફરે તેમની મુસાફરી શરૂ કરતા પહેલાં, નીચેની માહિતી જણાવીને ભરવાનું રહેશે:
- નામ અને લિંગ
- જન્મ તારીખ, જન્મ સ્થાન, રાષ્ટ્રીયતા
- પાસપોર્ટની વિગતો જેમ કે. નંબર. જારી કર્યા/સમાપ્તિની તારીખ અને સ્થળ.
- ભારતમાં સરનામું
- ફ્લાઇટ નંબર અને પ્રસ્થાનની તારીખ
- વ્યવસાય
- ભારતથી મુલાકાત લેવાનો હેતુ
આ પગલું હવાઈ મથકો પર ઇમિગ્રેશન પ્રક્રિયા ઝડપી અને ઝંઝટ-મુક્ત બનાવવા માટે લેવામાં આવ્યું છે. જો કે, એમ્બાર્કેશન ફોર્મ માત્ર હવાઈ મુસાફરી માટે બંધ કરવામાં આવ્યું છે. રેલ, રસ્તા અથવા સમુદ્રી માર્ગે મુસાફરી કરનાર લોકોએ હજુ પણ ફોર્મ ભરવાનું રહેશે. નવા ઇમિગ્રેશન નિયમ ઉપરાંત, ભારતના તમામ મુખ્ય હવાઈ મથકો પર પહેલેથી જ ઘરેલું મુસાફરો માટે હેન્ડ-બેગેજને ટૅગ કરવાનું અને સ્ટેમ્પ કરવાનું બંધ કરવામાં આવેલ છે. આ નિયમ ટૂંક સમયમાં સીઆઈએસએફની દેખરેખ હેઠળના દરેક એરપોર્ટ પર લાગુ કરવામાં આવશે. અમે આ પગલાનું સ્વાગત કરીએ છીએ અને ઇમિગ્રેશન પ્રક્રિયાને ઘણું સરળ બનાવવામાં સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નની પ્રશંસા કરીએ છીએ. ઉપરાંત, ભારત અને વિદેશમાં તમારી મુસાફરીનો ઇન્શ્યોરન્સ લેવાનું ભૂલશો નહીં, કારણ કે
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઇન્ડિયા તમને આવી પડે તેવી કોઈપણ પ્રકારની ઝંઝટ સામે રક્ષણ આપે છે. વિવિધ ટ્રાવેલ પૉલિસીઓ અને કવરેજ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને અમારી વેબસાઇટની મુલાકાત લો.
… [Trackback]
[…] There you will find 84279 more Infos: demystifyinsurance.com/new-immigration-rule-no-departure-cards/ […]
આ માહિતી શેર કરવા બદલ આભાર
સરસ માહિતી
ખૂબ જ માહિતી
good
સરસ માહિતી
આભાર,
ઉપયોગી