રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Travel Insurance for Canada: FAQs Answered
28 સપ્ટેમ્બર , 2020

કેનેડા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

વિશ્વનો બીજો સૌથી મોટો દેશ હોવાથી, કેનેડામાં જોવાલાયક અનેક અદ્ભુત સ્થળો આવેલ છે. તમે બિઝનેસ માટે મુસાફરી કરી રહ્યા હોવ કે નવરાશની પળો વિતાવવા માટે, આ દેશની મુલાકાત લેતાં સમયે તમારા ઉત્સાહને રોકવો મુશ્કેલ છે. આ તમામ ઉત્સાહની વચ્ચે, મોટાભાગના લોકો દ્વારા કેનેડા માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ના લાભો અવગણવામાં આવે છે. આ દેશની વ્યસ્ત શેરીઓમાં અને ઝગમગાટમાં ખોવાઈ જતાં પહેલાં, કેનેડિયન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરવા વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો પર એક નજર કરો: કેનેડાની મુલાકાત લેતા પહેલાં ધ્યાનમાં લેવા જેવી મહત્વપૂર્ણ બાબતો શું છે? બિઝનેસ માટે પ્રવાસ કરતી વખતે તમારી પાસે કેટલીક ચોક્કસ બાબતોને ધ્યાનમાં લીધા વિના તે સ્થળે પહોંચવા સિવાય કોઈ વિકલ્પ નથી. પરંતુ, જ્યારે તમે તમારા જીવનસાથી અથવા તમારા પરિવાર સાથે ફરવા જવાની યોજના બનાવી રહ્યા હોવ, ત્યારે તમારે વિદેશમાં સફળ મુસાફરી માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં રાખવા પડશે. કેનેડાની મુલાકાત લેતા પહેલાં ધ્યાનમાં લેવા યોગ્ય કેટલીક મહત્વપૂર્ણ બાબતો અહીં આપેલ છે:
  1. વાતાવરણ
જ્યારે તમે કેનેડામાં હોવ, ત્યારે સૂર્ય અને હિમનો એક સરખા પ્રમાણમાં અનુભવ કરવા માટે તૈયાર રહો. જો તમે ઑન્ટારિયોના દક્ષિણ ભાગમાં રહેવાની યોજના બનાવી રહ્યા છો, તો તમે ઠંડા શિયાળાનો અને ખૂબ ગરમીનો આનંદ માણી શકશો. જો કે, કેનેડાની પુષ્કળ ઠંડીવાળા શિયાળામાં એક ગરમ વિસ્તારમાંથી આવતી દરેક વ્યક્તિએ કાળજી રાખવી જોઈએ.
  1. વિવિધતા
કેનેડામાં અનેક સંસ્કૃતિઓનું સ્વાગત થતું હોવાથી, હજારો પ્રવાસીઓ હંમેશા આ લોકપ્રિય દેશની મુલાકાત લે છે. આ દેશમાં આવ્યા બાદ, તમને અલગ ધર્મ, પૃષ્ઠભૂમિ, સંસ્કૃતિ અને અસંખ્ય ભાષાઓ બોલતા અનેક લોકો જોવા મળશે. તેથી, કોઈપણ વ્યક્તિ તેમના ધર્મના આધારે સુરક્ષિત રહી શકે છે અને તેમના જીવનને શાંતિપૂર્વક જીવી શકે છે.
  1. ટિપિંગ
મોટાભાગના લોકો એવા સ્થળેથી આવે છે જ્યાં ટિપિંગ તેમની સંસ્કૃતિનો ભાગ નથી, ત્યારે કેનેડિયન ખુલ્લા હૃદય સાથે ટિપિંગ સંસ્કૃતિનું સ્વાગત કરે છે. કેનેડામાં મોટા ભાગના લોકો તેમને આપવામાં આવતી ટિપ્સના આધારે તેમના વેતન અને વળતર મેળવે છે. કેનેડામાં ધ્યાનમાં રાખવા જેવા સૌથી લોકપ્રિય સ્થળો કયા છે? વિવિધ ફ્લોરા અને ફૉના ધરાવતા સ્થળો હોય કે સિટી લાઇટ્સમાં ટહેલવાનું હોય, કેનેડામાં બધું જ થઈ શકે છે. જો તમે સૌથી આકર્ષક પ્રવાસી સ્થળો વિશે જાણવા માંગો છો, તો તેની સૂચિ નીચે આપેલ છે:
  1. ટોરંટો
કેનેડામાં સદા સૌથી અપેક્ષિત સ્થળમાંથી એક ટોરંટો છે. અનેક લોકો અને લાખો લાઇટ ધરાવતા આ મેટ્રોપોલિટન શહેરમાં ગગનચુંબી ઇમારતો આવેલી છે.
  1. વેનકૂવર
તેની ઑન-સ્ક્રીન ફિલ્મિંગ માટે લોકપ્રિય હોવાથી, વેનકૂવર સંગીત, કલા અને થિયેટર માટે એક સ્વર્ગ છે. વધુમાં, આ સ્થળ છોડવાનું મન ન થાય તેવી અદ્ભૂત તેની સુંદરતા છે.
  1. મૉન્ટ્રિયલ
કેનેડામાં સૌથી વધુ જીવંત જગ્યા એ મોન્ટ્રિયલ છે. વર્ષભર બહુવિધ કાર્યક્રમો અને તહેવારોને કારણે, મોટાભાગના પર્યટકો કેનેડાના આ સ્થળની મુલાકાતે આવે છે.
  1. નાયગ્રા ધોધ
વિશાળ નાયગ્રા ધોધ તેના અચંબિત કરી દેતાં દ્રશ્યને કારણે લોકપ્રિય છે. આ પ્રસિદ્ધ ધોધ કેનેડાને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા સાથે રેનબો બ્રિજની મદદથી જોડે છે. તેથી, નાયગ્રા ધોધની મુલાકાત લેવાનું બિલકુલ ચૂકશો નહીં. મારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્યારે ખરીદવો જોઈએ? તમે ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવા માંગતા હોવ કે વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ, પરંતુ મુસાફરી શરું કરતાં પહેલાં તેને ખરીદવો જરૂરી છે. તમે ટ્રિપ કૅન્સલેશન અથવા ઇન્ટરપ્શન ઇન્શ્યોરન્સ પસંદ કરી રહ્યા છો, તો પણ ટ્રાવેલ પૉલિસી દરેક ગ્રાહકને લાભ આપે છે. વધુમાં, જ્યારે તમે તમારા પ્રસ્થાનના 6 મહિના પહેલાં પૉલિસી ખરીદો ત્યારે મુશ્કેલી કરી શકે તેવી તમામ બાબતોને ધ્યાનમાં લો. મારે કેનેડા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે? મુસાફરી એક અદ્ભુત અનુભવ છે, પરંતુ જ્યારે તમે કોઈપણ દેશમાં મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે અનિશ્ચિતતાનું સ્તર સામાન્ય રીતે વધુ હોય છે. સામાન ખોવાઈ જવો, મુસાફરી દરમિયાન કોઈ તબીબી કટોકટી અને અન્ય કેટલીક અનિવાર્ય ઘટનાઓ હોઈ શકે છે. આ અચાનક આવી પડતી કટોકટીની સ્થિતિમાં તમારે મોટો ખર્ચ થઈ શકે છે. કેનેડા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી કેવી રીતે તે દેશની તમારી મુલાકાતને સુરક્ષિત કરી શકે છે તેના કેટલાક કારણો અહીં આપેલ છે:
  1. કોઈપણ વ્યક્તિના હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, તે તેના પૉલિસીધારકોને દૈનિક રોકડ ભથ્થું પ્રદાન કરે છે.
  2. કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓ ઇમરજન્સી હોટલ એક્સટેન્શનની સુવિધા પણ આપી શકે છે.
  3. તમારે કોઈ પણ ચુકવણી ન કરવી પડે તે માટે ટ્રાવેલ પૉલિસીઓ દ્વારા કૅશલેસ હૉસ્પિટલાઇઝેશનના લાભો પ્રદાન કરવામાં આવે છે.
  4. તે મુસાફરને તેમની મુસાફરી રદ થવાના કિસ્સામાં અથવા ઉડાનોના વિલંબ પર વળતર આપે છે.
  5. ચોરી અથવા ઘરફોડી જેવી બનતી ઘટનાઓના કિસ્સામાં તેના પૉલિસીધારકને કવર કરવા માટે, ઇન્શ્યોરન્સ કંપનીઓ તેમના પૉલિસીધારકોને ઍડવાન્સમાં ઇમરજન્સી કૅશ પ્રદાન કરે છે.
કેનેડા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ શું કવર કરવામાં આવે છે? સામાન્ય રીતે, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં સમાવવામાં આવતી બાબતોનો આધાર ઇન્શ્યોરન્સ કંપનીઓ પર રહેલો છે. તેમની જોગવાઈઓ અને તમારી જરૂરિયાતોના આધારે, આ સમાવિષ્ટ બાબતો તમારી ટ્રાવેલ પૉલિસીના મૂલ્યને વધારે છે. કોઈપણ પૉલિસી પસંદ કરતા પહેલાં તેના નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો. આ દરમિયાન, કેનેડા ઇન્શ્યોરન્સ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ ઉલ્લેખિત આ સમાવિષ્ટ બાબતો પર એક નજર કરો:
  1. તમારી તબીબી સારવાર પછી તમારે ઘરે પરત ફરવા માટેના મુસાફરી ખર્ચ
  2. તબીબી ભથ્થું
  3. કોઈપણ વ્યક્તિગત સામાન ખોવાઈ જવો અથવા ચોરી થવી
  4. મુસાફરી અથવા ફ્લાઇટનો અકસ્માત
  5. ટ્રિપના કૅન્સલેશન અથવા ઇન્ટરપ્શન
હવે તમે જાણો છો કે કેનેડા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી કેવી રીતે પસંદ કરવી, તો પછી શેની રાહ જોઈ રહ્યા છો? બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સમાં અમે તમારી જરૂરિયાતોના આધારે ટ્રાવેલ પ્લાન્સ પ્રદાન કરીએ છીએ જે તે જ સમયે કસ્ટમાઇઝ પણ કરી શકાય છે. અમે મુસાફરીનો થતો ખર્ચ સમજીએ છીએ, તેથી અમારા પ્લાન તમારી મુસાફરી માટે સૌથી શ્રેષ્ઠ પણ સૌથી વ્યાજબી વિકલ્પો છે.  

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે