રિસ્પેક્ટ સિનીયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Features of Travel Insurance
જાન્યુઆરી 2, 2022

તમારે જાણવા જેવી ટ્રાવેલ ઇન્શ્યોરન્સની 5 મુખ્ય વિશેષતાઓ

મુસાફરી આપણા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. લોકો આનંદ માટે, વ્યવસાય માટે અથવા શિક્ષણ માટે પહેલાં કરતાં વધુ મુસાફરી કરી રહ્યા છે! આને કારણે મુસાફરોની સંખ્યામાં વધારો થવાની સાથે સાથે વિમાન કંપની દ્વારા સામાન ખોવાઈ જવો અથવા બીમાર પડવું વગેરે જેવા મુસાફરી સંબંધિત જોખમોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેથી વિદેશમાં તમારે કેટલીક અણધારી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે, તો તેવી સ્થિતિ માટે તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિશે બધું જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સની આ 5 મુખ્ય વિશેષતાઓ પર એક નજર કરો અને કટોકટીના સમયે થતી મૂંઝવણથી બચો. તમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ:

1.તમારી તમામ મેડિકલ ઇમરજન્સી કવર કરતો હોવો જોઈએ

દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ કોઈપણ સમયે બની શકે છે, અને તે સ્વાસ્થ્ય સંબંધિત હોવાની સંભાવના વધુ છે. આવી પરિસ્થિતિમાં તમારા પરિવાર સાથે વિદેશમાં ફસાયેલા હોવાની કલ્પના કરો. તમે તમારા ઇન-પેશન્ટ અને આઉટ-પેશન્ટ તબીબી ખર્ચની કાળજી લે તેવું બહોળું કવર ખરીદો.

2.ચેક-ઇન કરેલ સામાન અને પાસપોર્ટ ખોવાઈ જવાની ઘટનાને કવર કરતો હોવો જોઈએ

એવા વ્યક્તિની મુશ્કેલીની કલ્પના કરો કે જે બિલકુલ નવા સ્થળે આવી પહોંચે છે અને તેને તેનો સામાન ખોવાઈ ગયો હોવાની માહિતી મળે છે, અથવા નવા સ્થળોની મુલાકાત લેતી વખતે તેનો પાસપોર્ટ ખોવાઈ ગયો છે. તમે ચોક્કસપણે આવી પરિસ્થિતિમાં અટવાઈ જવાનું પસંદ નહીં કરો! તમે આ બાબતોને કવર કરતો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો

3.વ્યક્તિગત અકસ્માત સામે તમને કવર કરતો હોવો જોઈએ

 તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા અકસ્માતને કારણે થયેલી શારીરિક ઈજા અથવા મૃત્યુ સામે તમને કવર કરવામાં આવે છે તેની ખાતરી કરો.

4.ટ્રિપ કૅન્સલેશન અને ટ્રિપ ટૂંકાવવામાં આવે તેવી સ્થિતિ માટે તમને કવર કરતો હોવો જોઈએ

ધારો કે પરિવારના કોઈ સભ્ય અચાનક બીમાર થાય છે. તમારી મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવે છે, પણ તમે ચોક્કસપણે મુસાફરી કરી શકતા નથી. ખાતરી કરો કે તમે જે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરો છો તે આવી છેલ્લી મિનિટે મુસાફરી કૅન્સલ થવા સામે અથવા ટૂંકાવવામાં આવે તો તમને કવર કરે છે

5.જ્યારે તમે મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે ઘરફોડી સામે તમને કવર કરતો હોવો જોઈએ

ઘરફોડ ચોરી મોટાભાગે ત્યારે થાય છે જ્યારે કોઈ ઘરે ન હોય. જ્યારે તમે દૂર હોવ ત્યારે તમારા ઘરમાં ઘરફોડી માટે તમને કવર કરે તેવો પ્લાન પસંદ કરવો એ એક સમજદારીભર્યો નિર્ણય છે.

ટૂંક સમયમાં મુસાફરી કરવાની યોજના બનાવનાર તમામ વ્યક્તિએ આ પરિબળોને ધ્યાનમાં રાખવા જરૂરી છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સની તુલના અહીં કરો અને ઉપલબ્ધ શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો!

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 2.3 / 5. વોટની સંખ્યા: 3

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

  • મૅન્યૂઅલ આરન - જુલાઈ 25, 2018 સાંજે 7:30 કલાકે

    મારી પત્ની અને હું અનુક્રમે 82 અને 83 વર્ષના છીએ. અમે 5 દિવસ માટે પેનાંગ અને સિંગાપુરની મુસાફરી કરવા માંગીએ છીએ. શું અમે જરૂરી મેડિકલ ઇન્શ્યોરન્સ મેળવી શકીએ છીએ?

    • બજાજ આલિયાન્ઝ - જુલાઈ 26, 2018 બપોરે 1:38 pm કલાકે

      હેલો મૅન્યુઅલ,

      વરિષ્ઠ નાગરિકો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન્સ ઉપલબ્ધ છે. વિગતવાર માહિતી મેળવવા માટે કૃપા કરીને અમારા ટોલ ફ્રી નંબર – 1800-209-0144 પર અમારો સંપર્ક કરો અથવા તમારી નજીકના બજાજ આલિયાન્ઝની બ્રાન્ચ ઑફિસની મુલાકાત લો.

      તમારો પ્રવાસ સુરક્ષિત અને આનંદદાયક રહે તેવી શુભેચ્છા!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે