રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
What are the Types of Marine Losses?
31 માર્ચ, 2021

મરીન લોસના પ્રકાર

રોજિંદા મરીન ઇન્શ્યોરન્સ ના કિસ્સાઓમાં, નુકસાનનું અનુમાન સરળતાથી લગાવી શકાતું નથી. જ્યારે ખર્ચ, ઇન્શ્યોરન્સ અને ભાડાની ગણતરી કરવામાં આવે છે અને દરેક બિલ પર દર્શાવવામાં આવે છે, જ્યારે વાસ્તવિક મરીન લોસ ની ગણતરી, જે વિવિધ મરીન ઇન્શ્યોરન્સના પ્રકાર ની પૉલિસીઓ માટે થાય છે એ વધારે જટિલ છે. તેથી, એ જરૂરી બની જાય છે કે મરીન લોસ ને સમજો અને કેવી રીતે ઇન્શ્યોરન્સ કોન્ટ્રાક્ટમાં તેને વણી લેવામાં આવે છે.  

મરીન લોસ કયા પ્રકારના હોય છે?

વ્યાપકપણે, મરીન લોસના પ્રકાર બે શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે - સંપૂર્ણ નુકસાન અને આંશિક નુકસાન. સૌપ્રથમ માલસામાનના મૂલ્યના 100% અથવા લગભગ 100% જેટલું નુકસાન સૂચવે છે, જ્યારે આંશિક એ માલસામાનના મૂલ્યનું સંપૂર્ણ નહીં, પરંતુ નોંધપાત્ર નુકસાન સૂચવે છે.. નિમ્નલિખિત રીતે વિવિધ મરીન લોસના પ્રકાર મદદકર્તા બની શકે છે એ સમજો:
  1. વેપાર, પરિવહન, જહાજ અને કાર્ગો દીઠ રિસ્ક એક્સપોઝરનું મૂલ્યાંકન.
  2. પ્રોસેસ કરેલા ક્લેઇમ માટે તૈયારી કરવા.
  3. બાકાતી અને કુલ પુનઃપ્રાપ્તિપાત્ર રકમની સંપૂર્ણ સમજ મેળવો.
  4. દરેક ટ્રાન્ઝિટ માટે રોકડ અને રિઝર્વ જરૂરિયાતોનું વિશ્લેષણ કરવું.
  5. પૉલિસીમાં રાઇડર પસંદ કરવાથી કવરેજમાં વધારો થાય છે.
પ્રસ્તુત છે મરીન લોસના પ્રકાર ની બે શ્રેણી અને તેમના વિષે નોંધપાત્ર માહિતી:  

I. સંપૂર્ણ નુકસાન

મરીન લોસ ની શ્રેણી દર્શાવે છે કે ઇન્શ્યોરન્સ ધરાવતા માલનું તેમના મૂલ્યના 100% અથવા લગભગ 100% જેટલું નુકસાન થયું છે.. આ શ્રેણીને આગળ વર્ગીકૃત કરવામાં આવે છે - વાસ્તવિક સંપૂર્ણ નુકસાન અને મરીન ઇન્શ્યોરન્સમાં કન્સ્ટ્રક્ટિવ ટોટલ લોસ.  
  1. વાસ્તવિક સંપૂર્ણ નુકસાન: વાસ્તવિક સંપૂર્ણ નુકસાન તરીકેની ગણતરી માટે, નીચેનામાંથી કોઈ એક અથવા વધુ શરતો પરિપૂર્ણ થવી જોઈએ:
  1. ઇન્શ્યોરન્સ કરાવેલ કાર્ગો અથવા માલને રિપેર ન કરી શકાય તેવું સંપૂર્ણપણે નુકસાન થયું હોય અથવા ક્ષતિગ્રસ્ત થયેલ હોય.
  2. ઇન્શ્યોરન્સ કરાવેલ કાર્ગો અથવા માલ એવા સંજોગોમાં હોય, જેને કારણે ઇન્શ્યોરન્સ ધરાવતા બિઝનેસ માટે બિલકુલ ઉપલબ્ધ ના હોય.
  3. કાર્ગો લઈ જનાર જહાજ ગુમ થઈ જાય, અને તેની ભાળ મળવાની કોઈ સંભાવના નથી.
  જ્યારે વાસ્તવિક સંપૂર્ણ નુકસાન થાય છે, ત્યારે ઇન્શ્યોરન્સ ધરાવતા બિઝનેસ ઇન્શ્યોરન્સ કરાવેલ માલનું સંપૂર્ણ મૂલ્ય મેળવવા હકદાર બને છે. ઇન્શ્યોરન્સ કંપની ક્લેઇમને ક્લિયર કરવા માટે અને નિર્ધારિત રકમની ચુકવણી માટે જવાબદાર છે. આ સાથે, માલની માલિકી ઇન્શ્યોરન્સ ધરાવતા બિઝનેસથી ઇન્શ્યોરન્સ કંપનીને ટ્રાન્સફર થાય છે. જો માલ, તેના અવશેષો અથવા કોઈ અન્ય ચિહ્નો ભવિષ્યમાં મળી આવે, તો તેની પૂરેપૂરી માલિકી ઇન્શ્યોરન્સ કંપનીની રહેશે. ધારો કે તમે ત્રિનિદાદ અને ટોબેગોથી અમુક વિન્ટેજ ફર્નિચર ઇમ્પોર્ટ કરો છો અને તેમના માર્કેટ વેલ્યૂ મુજબ ₹50 લાખ ચૂકવ્યા છે. તમારી પાસે ખરીદદારોએ પહેલેથી જ સંપર્ક કરેલ હોવાથી, તમે માત્ર કાર્ગો આવવાની રાહ જોઈ રહ્યા છો. પરંતુ કાર્ગો હિન્દ મહાસાગરમાં ખૂબ લાંબી મજલ કાપવાનો હોવાથી, તમે તમારા માલ-સામાનના કવરેજ માટે મરીન ઇન્શ્યોરન્સ પૉલિસી લેવાનો નિર્ણય કર્યો. દુર્ભાગ્યે, જહાજમાં મધદરિયે આગ લાગવાથી સમગ્ર શિપમેન્ટને નુકસાન થયું હતું. તમારું સમગ્ર વિન્ટેજ ફર્નિચર નાશ પામ્યું હોવાથી, તમને ઇન્શ્યોરન્સ પૉલિસી મુજબ કુલ સંમત મૂલ્ય વળતરરૂપે આપવામાં આવશે.  
  1. મરીન ઇન્શ્યોરન્સમાં કન્સ્ટ્રક્ટિવ ટોટલ લોસ: આ સમજવામાં સૌથી મુશ્કેલ મરીન લોસમાંથી એક છે, પરંતુ ઉદાહરણ દ્વારા તેને સરળતાથી સમજાવી શકાય છે.
  આગળ આપેલું ઉદાહરણ જ લઈએ - કલ્પના કરો કે તમારા શિપમેન્ટને લઈ જતા કાર્ગોનું સોમાલિયન ચાંચિયાઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. તેઓ જહાજને છોડવા માટે શિપિંગ કંપની પાસેથી ₹10 કરોડથી વધુની ખંડણી માંગી રહ્યા છે. શિપિંગ કંપની જાણે છે કે નાના જહાજ તથા તમારા વિન્ટેજ ફર્નિચર સહિત જહાજ પર રહેલા માલનું સંયુક્ત કુલ મૂલ્ય ₹7 કરોડથી વધુ નથી. આ કિસ્સામાં, જો તમે તમારા વિન્ટેજ ફર્નિચર માટે સફળતાપૂર્વક ક્લેઇમ કરો છો, તો સર્વેયર દ્વારા તેને કન્સ્ટ્રક્ટિવ ટોટલ લોસ ગણવામાં આવશે, કારણ કે માલ પુનઃપ્રાપ્ત કરવાનો ખર્ચ માલની કિંમત કરતાં વધુ છે.  

II. આંશિક નુકસાન:

આ પ્રકારના નુકસાનના નિર્ધારણ માટે સર્વેયર પાસે વિવેકબુદ્ધિ અને વ્યક્તિગત નિર્ણય-શક્તિ હોવી જોઈએ.  
  1. વિશિષ્ટ આંશિક નુકસાન: વિશિષ્ટ આંશિક નુકસાન એ આ શ્રેણી હેઠળ આવતા મરીન લોસના સૌથી સામાન્ય સ્વરૂપોમાંથી એક છે. જો મરીન ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર થયેલ કારણોસર માલને આંશિક નુકસાન થાય, તો તેને વિશિષ્ટ આંશિક નુકસાન માનવામાં આવશે.
  2. સામાન્ય એકંદર નુકસાન: જ્યારે અમુક પ્રકારના જોખમને ટાળવા માટે જાણી જોઈને માલનું નુકસાન કરવામાં આવ્યું હોય ત્યારે જ આ પ્રકારનું નુકસાન થયેલ ગણવામાં આવે છે.
  ધારો કે તમે બાયોકેમિકલ પદાર્થોના સપ્લાયર છો. તમે કોઈ શિપિંગ કંપની દ્વારા ₹30 લાખની કિંમતનું શિપમેન્ટ એક્સપોર્ટ કર્યું હતું. મુસાફરી દરમિયાન કૅપ્ટનને જાણવા મળ્યું કે ₹10 લાખ મૂલ્યના બૉક્સ લિક થતા હતા અને શિપને દૂષિત કરી રહ્યા હતા. બાકીના શિપમેન્ટને સુરક્ષિત કરવા માટે તેને ફેંકી દેવા પડયા. આ પ્રકારનું નુકસાન સામાન્ય એકંદર નુકસાન કહેવાશે. જો સંપૂર્ણ જથ્થો આગામી પોર્ટ પર અન્ય ફાર્માસ્યુટિકલ ઉત્પાદકને ₹15 લાખમાં વેચવામાં આવ્યો હોત, તો તે ચોક્કસ આંશિક નુકસાનનો કેસ હોત. જુઓ કમર્શિયલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન બજાજ આલિયાન્ઝ પર અને આજે જ તમારા બિઝનેસને સુરક્ષિત કરો!

વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. મરીન લોસની શ્રેણી કોણ નક્કી કરે છે?
ઇન્શ્યોરન્સ કંપની નુકસાનની ચકાસણી અને પ્રમાણ બંને નિર્ધારિત કરવા માટે સર્વેયરની નિમણૂક કરે છે.  
  1. શું ઇન્શ્યોરન્સ ધરાવતા બિઝનેસ નુકસાનના પ્રમાણને નિર્ધારિત કરવા માટે ઉપયોગમાં લીધેલ પુરાવાઓ જોઈ/મેળવી શકે છે?
અપવાદરૂપ કિસ્સાઓમાં, નુકસાનનો પુરાવો મળી શકે છે, પરંતુ નિર્ધારિત કરવાની પ્રક્રિયા શેર કરવામાં આવતી નથી.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે