રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
FAQs on PMFBY
10 જૂન, 2021

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (પીએમએફબીવાય) અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો

 1. પીએમએફબીવાય યોજના શરૂ કરવા પાછળનો ઉદ્દેશ શું છે?

આ સ્કીમ ભારત સરકાર દ્વારા ખેડૂતોમાં ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ સ્કીમના મુખ્ય ઉદ્દેશો છે:

  • જો ખેડૂતોને વ્યાપક આપત્તિઓ, મોસમ દરમિયાન આવતી આપત્તિઓ, લણણી પછીના નુકસાની વગેરે જેવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓને કારણે તેમના પાકને થયેલા નુકસાન/ખોટને કારણે કોઈપણ નાણાંકીય નુકસાનનો સામનો કરવો પડે તો તેમને સહાય પૂરી પાડવી.
  • આ સ્કીમ ખેતીના તમામ તબક્કાઓ એટલે કે વાવણીથી લઈને લણણી પછીની પ્રક્રિયાઓ સુધી ખેડૂતોને લાભો આપે છે.
  • આ સ્કીમ દ્વારા પ્રદાન કરવામાં આવતી નાણાંકીય સહાય સુનિશ્ચિત કરે છે કે ખેડૂતો ખેતીને છોડે નહીં અને તેઓને ખેતી કરવા પ્રેરિત કરવામાં આવે છે કારણ કે હવે તેમના રોકાણનો ઇન્શ્યોરન્સ છે.
  • આ સ્કીમ શરૂ કરવાના મુખ્ય ઉદ્દેશોમાંથી એક એ છે કે તે ખેડૂતોને નવીનતમ કૃષિ પદ્ધતિઓને શોધવા અને અમલ કરવા પ્રોત્સાહિત કરે છે.

તે વિવિધ પાકની વૃદ્ધિને વધારવા માટે ખેડૂતોમાં સ્વસ્થ સ્પર્ધાને પણ પ્રોત્સાહન આપે છે.

2. કયા ખેડૂતો આ સ્કીમ માટે પાત્ર છે?

પીએમએફબીવાય અને આરડબલ્યુબીસીઆઇએસ સ્કીમ હેઠળ, લોન લેનાર અને લોન ન લેનાર ખેડૂતો બંનેનો ઇન્શ્યોરન્સ લઈ શકાય છે.

3. લોન લેનાર અને લોન ન લેનાર ખેડૂતો કોણ છે?

સૂચિત પાકના સિઝનલ એગ્રિકલ્ચરલ ઓપરેશન્સ (એસએઓ) માટે એક અથવા વધુ નાણાંકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવેલ તમામ ખેડૂતોને લોન લેનાર ખેડૂતો તરીકે સંદર્ભિત કરવામાં આવે છે. જ્યારે, કોઈપણ માન્યતા પ્રાપ્ત ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશનમાંથી કોઈ લોન ન લેનાર ખેડૂતોને લોન ન લેનાર ખેડૂતો તરીકે ઓળખવામાં આવે છે.

4. આ સ્કીમ હેઠળ કયા પાકનો ઇન્શ્યોરન્સ લેવામાં આવે છે?

આ સ્કીમ હેઠળ નીચેના પાકનો ઇન્શ્યોરન્સ લેવામાં આવે છે:

  • ખાદ્ય પાક (ધાન્ય, જુવાર બાજરી જેવા મોટા અનાજ, કઠોળ)
  • તેલીબિયાં
  • વાર્ષિક વ્યવસાયિક/વાર્ષિક બાગાયતી પાકો
5. પીએમએફબીવાય સ્કીમના વિવિધ ઘટકો શું છે?

પીએમએફબીવાય સ્કીમમાં બે ઘટકો છે, જે ખેડૂતોને (લોન લેનાર અને લોન ન લેનાર) કવરેજ પ્રદાન કરે છે:

  • ફરજિયાત ઘટક: સ્કીમમાં ઉલ્લેખિત જોગવાઈઓ મુજબ તમામ લોન લેનાર ખેડૂતોને ફરજિયાત રીતે કવર કરી લેવામાં આવે છે અને ઇન્શ્યોરન્સ પ્રદાન કરવામાં આવે છે.
  • સ્વૈચ્છિક ઘટક: આ ઘટક લોન ન લેનાર ખેડૂતો માટે વૈકલ્પિક છે. આ ઘટક પસંદ કરવાની પ્રક્રિયા છે:
    1. આ લાભ મેળવવા ઇચ્છતા ખેડૂતોએ ઉલ્લેખિત કટઑફ તારીખ પહેલાં ઇન્શ્યોરન્સ કંપનીના નજીકના બેંક/અધિકૃત ચૅનલ ભાગીદારનો સંપર્ક કરવો જોઈએ.
    2. ખેડૂતોએ પ્રપોઝલ ફોર્મ ભરવું જોઈએ અને તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ સાથે તેમના સેવિંગ બેંક એકાઉન્ટ અને જમીનની ઓળખ નંબરની વિગતો પ્રદાન કરવી જોઈએ.
    3. ખેડૂતોએ આ ફોર્મ પ્રીમિયમ રકમ સાથે ઇન્શ્યોરન્સ કંપનીના બેંક/અધિકૃત ચૅનલ ભાગીદારને સબમિટ કરવાની જરૂર પડશે.
 6. ખેડૂતો તેમના પાકનો ઇન્શ્યોરન્સ ક્યાં કરાવી શકે છે?

લોન લેનાર ખેડૂતો જ્યાંથી તેમના પાક માટે લોન લે છે ત્યાંથી તે બેંકો દ્વારા ફરજિયાતપણે ઇન્શ્યોરન્સ લેવાડાવવામાં આવે છે. લોન ન લેનાર ખેડૂતો સીએસસી કેન્દ્રો અથવા ઇન્શ્યોરન્સ કંપનીઓની ઑફિસની મુલાકાત લઈને તેમના પાકનો ઇન્શ્યોરન્સ લઈ શકે છે. ખેડૂતો ઇન્શ્યોરન્સ કંપનીઓની બેંક અથવા તેમના એજન્ટો અને બ્રોકર્સનો પણ સંપર્ક કરી શકે છે, અથવા ખેડૂત પોર્ટલ પર ઑનલાઇન પણ તેનો સંપર્ક કરી શકે છે.

7. આ સ્કીમ હેઠળ પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

એક્ચ્યુરિયલ પ્રીમિયમ દર (એપીઆર) ની ગણતરી વીમાકૃત રકમ (એસઆઇ) પર કરવામાં આવે છે. આ સ્કીમ હેઠળ ખેડૂતો દ્વારા ચૂકવવાપાત્ર મહત્તમ પ્રીમિયમ રેટ નીચેના કોષ્ઠકનો ઉપયોગ કરીને નક્કી કરવામાં આવે છે:

સીઝન પાક ખેડૂત દ્વારા ચૂકવવાપાત્ર મહત્તમ ઇન્શ્યોરન્સ શુલ્ક
ખરીફ બધા ખાદ્ય અનાજ અને તેલીબિયાં પાકો એસઆઇ ના 2%
રવી બધા ખાદ્ય અનાજ અને તેલીબિયાં પાકો એસઆઇ ના 1.5%
ખરીફ અને રવી વાર્ષિક વાણિજ્યિક / વાર્ષિક બાગાયતી પાકો બારમાસી બાગાયતી પાકો (પ્રાયોગિક ધોરણે) એસઆઇ ના 5%
  8. વ્યક્તિગત ખેડૂત માટે વીમાકૃત રકમ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

આ સ્કીમ હેઠળ વ્યક્તિગત ખેડૂત માટે વીમાકૃત રકમની ગણતરી કરવાની ફોર્મ્યુલા નીચે મુજબ છે:

 વીમાકૃત રકમ = પ્રતિ હેક્ટેર ફાઇનાન્સનો સ્કેલ * ખેડૂતો દ્વારા સૂચિત પાકનો વિસ્તાર

9. પીએમએફબીવાય સ્કીમ હેઠળ કયા જોખમો કવર કરવામાં આવે છે?

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સ્કીમ નીચેના જોખમોને કવર કરે છે:

  • પાકની વાવણી ન કરી શકવાનું/પાકની વાવણી ન થઈ શકવાનું જોખમ
  • ઊભો પાક (વાવણીથી લણણી)
  • લણણી-પછીનું નુકસાન
  • સ્થાનિક જોખમ
10. વ્યાપક આપત્તિના કિસ્સામાં ક્લેઇમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

વ્યાપક આપત્તિના કિસ્સામાં, ખેડૂતને વિસ્તારના અભિગમ પર થ્રેશોલ્ડ ઉપજ (ટીવાય) ની તુલનામાં વીમાકૃત પાકની ઉપજમાં ઘટાડા માટે ચુકવણી કરવામાં આવે છે. ક્લેઇમની ગણતરી નીચે મુજબ કરવામાં આવે છે:

(થ્રેશોલ્ડ ઉપજ - વાસ્તવિક ઉપજ) ------------------------------------------------ * વીમાકૃત રકમની થ્રેશહોલ્ડ ઉપજ

 11. ખેડૂતો ઇન્શ્યોરન્સ કંપનીને સ્થાનિક નુકસાન વિશે કેવી રીતે જાણ કરી શકે છે?

 ખેડૂતો અમને અથવા સંબંધિત બેંક અથવા સ્થાનિક કૃષિ વિભાગ/જિલ્લા અધિકારીઓને આપત્તિના 72 કલાકની અંદર નુકસાનની વિગતોની જાણ કરી શકે છે. તેઓ ટોલ-ફ્રી નંબર 1800-209-5959 નો ઉપયોગ કરીને પણ અમારો સંપર્ક કરી શકે છે.

 12. વાવણી રોકવાને કારણે થયેલા નુકસાનના કિસ્સામાં શું કરવું જોઈએ?

વાવણી ન થઈ શકવાને કારણે થતા નુકસાનના કિસ્સામાં, ઇન્શ્યોરન્સ ધરાવતા ખેડૂતે ઇન્શ્યોરન્સ કંપનીને સૂચિત કરવાની કોઈ જરૂર નથી. આ એક વ્યાપક આપત્તિ હશે અને મૂલ્યાંકન વિસ્તારની આકારણી પર આધારિત હોય છે. જ્યારે મોટાભાગના ખેડૂતો હવામાનની સ્થિતિને કારણે તેમનો પાક વાવવામાં અસમર્થ હોય ત્યારે આ લાભ આપવામાં આવે છે.

 13. પ્રધાનમંત્રી બીમા ફસલ યોજનામાં નોંધણી કરવાનો યોગ્ય સમય ક્યારે છે?

આ સ્કીમ હેઠળની તમામ નોંધણીઓ દરેક રાજ્યના રાજ્ય સરકારની સૂચનામાં ઉલ્લેખિત કટઑફ તારીખ પહેલાં કરવી જોઈએ. ઉપરાંત, ખેડૂતે ઇન્શ્યોરન્સ કંપનીને કટઑફ તારીખની અંદર બેંક અથવા મધ્યસ્થી દ્વારા યોગ્ય રીતે મોકલવામાં આવેલા તેમના પ્રીમિયમનો શેર ચૂકવવો જોઈએ. જો કટઑફ તારીખ પછી પ્રીમિયમ નોંધવામાં અને સબમિટ કરવામાં વિલંબ થયો હોય, તો ઇન્શ્યોરન્સ કંપની પાસે કવરેજ નકારવાનો અધિકાર છે.

 14. પીએમએફબીવાય સ્કીમ હેઠળ લણણી પછીના નુકસાન માટે કયા જોખમોને કવર કરવામાં આવે છે?

લણણી પછી કરા પડવા, ચક્રવાત, ચક્રવાત યુક્ત વરસાદ અને કમોસમી વરસાદને કારણે થતાં પાકના નુકસાનનું મૂલ્યાંકન વ્યક્તિગત પ્લોટ/ખેતર મુજબ કરવામાં આવે છે, જ્યારે કાપણી કરેલ પાકનું મૂલ્યાંકન, કાપણી કર્યાના દિવસથી લઈને 14 દિવસ સુધી પાકને ખેતરમાં "કાપી અને સૂકવવા" ની સ્થિતિમાં થયેલ નુકસાન મુજબ કરવામાં આવે છે.

 15. આ સ્કીમ હેઠળ ખેડૂતો માટે કયા ટૅક્સ લાભો છે?

આ સ્કીમને સર્વિસ ટૅક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે